ધર્મદર્શન
આઠમાં નોરતે કરવામાં આવે છે મહાગૌરી સ્વરૂપની પૂજા…મહાગૌરી છે દુર્ગા અત્યંત શાંત સ્વરૂપ
Published
2 years agoon
By
Gujju Media
આજે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. “માં” શબ્દ જ એવો છે કે તેને બોલતાં જ મોં ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય છે. અને “માં” નો મહિમા અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તેમની ઉપાસના કરવામાં આવે તો “માં” ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે. આજે આઠમા નોરતે જાણીએ “માં મહાગૌરીનો” મહિમા…….મા જગદંબાએ આઠમા નોરતે મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાજીનો વર્ણ ગોરો હોવાથી માને મહગૌરીના નામથી ઓળખવામાં આવે છે.
આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઇ છે. . “. માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો શ્વેત રંગના છે. માતાજીને ચાર ભૂજાઓ છે, અને તેમનું વાહન વૃષભ છે. માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં છે. માતાજીની મુદ્રા અત્યંત શાંત છે…….નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે. માતાજીની શક્તિ અમોઘ અને તરત ફળ આપનારી છે. મા મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તોના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે અને સાથે જ ભવિષ્યમાં પાપ-સંતાપ કે દુઃખ સહિતની વસ્તુઓ ક્યારેય જીવનમાં આવતી નથી. મા મહાગૌરીની ઉપાસના કરનારો ભક્ત સર્વપ્રકારે પવિત્ર બને છે….
You may like
ધર્મદર્શન
વૈષ્ણોદેવી દુર્ઘટનામાં ડો. અર્ચનાની માંગણીનું સિંદૂર એક મહિનામાં જ બગડી ગયું, કહ્યું- મેં શું પાપ કર્યું છે.
Published
5 months agoon
January 5, 2022By
Aryan Patel
આખા વિશ્વમાં લોકો વર્ષનો પ્રથમ દિવસ ઉજવી ધૂમધામથી રહ્યા હતા. લોકો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયા હતા, પણ નવા વર્ષના પહેલા દિવસે જ દેશને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. નવા વર્ષની રાત્રે માતા વૈષ્ણોદેવીના દરબારમાં નાસભાગ મચી ગઈ હતી અને બીજા દિવસે સવારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં 12 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, જ્યારે 13થી વધુ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.
માતા વૈષ્ણો દેવીના દરબારમાં અકસ્માતના સમયગાળા દરમિયાન જીવ ગુમાવનારાઓમાં ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા વિસ્તારના રામપુર બુઝર્ગ ગામના પૂર્વ વડા સત્યપ્રકાશ સિંહના એકમાત્ર પુત્ર ડૉ. અરુણ પ્રતાપ સિંહનો પણ સમાવેશ થાય છે. ડૉ.અરુણ પ્રતાપ સિંહ જેલ બાયપાસ રોડ પર આવેલી હિન્દુ હોસ્પિટલના સંચાલક હતા. તેઓ તેમની પત્ની ડો. અર્ચના અને મિત્રોના પરિવાર સાથે માતા વૈષ્ણોદેવીના દરબારમાં દર્શન કરવા ગયા હતા.
ડૉ.અરુણ પ્રતાપ સિંહ અને ડૉ.અર્ચનાના લગ્ન એક મહિના પહેલાં જ 1 ડિસેમ્બરે થયા હતા, પણ એક મહિનામાં જ ડૉ.અર્ચનાની માંગનું સિંદૂર બરબાદ થઈ ગયું અને માતમ છવાઈ ગયું હતું. માતા રાનીના દરબારમાં સુખી જીવનની કામના કરવા ગયા હતા, પણ અરુણ સાથે આવો અકસ્માત થશે, કોઈને ખબર નહોતી અને પોતના જીવનના અમૂલ્ય વ્યક્તિને ખોવા પડ્યા. તેમનો સુહાગ હંમેશા માટે છીનવાઈ ગયો.
તે જ સમયે, મિત્રોએ પરિવારના સભ્યોને કહ્યું કે ડો. અર્ચના તેના પતિના મૃત્યુ વિશે વિચારીને પાગલ થઈ ગઈ છે. તેઓ કહે છે કે, હજી પણ લગ્નની મહેંદીનો રંગ મારો હાથ છોડ્યો ન હતો અને માતા રાનીએ મારો પ્રેમ છીનવી લીધો. છેવટે, મેં શું પાપ કર્યું છે? વૈષ્ણવ માતાએ મારી સાથે આવું કેમ કર્યું? ડૉ.અર્ચનાના આ સવાલનો જવાબ કોઈની પાસે નહોતો. ડૉ. અર્ચના પતિના મૃત્યુ વિશે વિચારીને રડવા લાગ્યા હતા. તેમને જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.
સોશિયલ મીડિયાની મળતી માહિતી અનુસાર, રામપુરના વડીલો અને આસપાસના ગામોના લોકોએ નવા વર્ષની ઉજવણી માટે ઘણી તૈયારીઓ કરી હતી, પણ મૃત્યુના સમાચાર મળતા જ નવા વર્ષને સૌ કોઈ ભૂલી ગયા અને સૌ કોઈ શોકગ્રસ્ત પરિવારને સાથ આપવા સ્વર્ગસ્થ ડૉ.ના ઘરે પહોંચવા લાગ્યા. લોકોનું કહેવું હતું કે, નવા વર્ષના પહેલા જ દિવસે પરિવારને જે આઘાત લાગ્યો છે, તે તેઓ જીવનભર આ ઘટના ભૂલી શકશે નહીં.
ડૉ.અરુણ પ્રતાપ સિંહ માત્ર 31 વર્ષના હતા, પણ આ ઉંમરે તેઓ આ દુનિયાને હંમેશા માટે છોડી ગયા અને તેમના પરિવાર અને તેમની પત્નીને રડતા મૂકી હમેંશા માટે છોડી ગયા. અરુણ પ્રતાપ સિંહનો સ્વભાવ ઘણો શાંત અને સરળ હતો. તે પોતાની ખુશખુશાલ શૈલી અને મહેનતથી તેમની પાસે આવતા દર્દીઓના અડધોઅડધ રોગ મટાડતા હતા.
15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં ડો. ચોક્કસપણે તેમના મહોલ્લાના લોકોને બોલાવતા હતા. ડો.અરુણ પ્રતાપને દરેક બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ હતો. આ જ કારણ હતું કે, તેઓની હોસ્પિટલની બાજુમાં રહેતી પ્રાંજલ વૈષ્ણોદેવીમાં નાસભાગ અને તેમાં ડોક્ટરના મોતના સમાચાર જોઈને ખૂબ રડી પડી હતી.
પ્રાંજલનું કહેવું છે કે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ડોક્ટર કાકાને ફોન કરીને બિસ્કિટ, ચોકલેટ આપીને તેમનું સન્માન કરતા હતા. હોસ્પિટલના સ્ટાફ નીલ ચૌધરી અને સંજય કનોજિયા સહિત દરેક જણ કહે છે કે, આવા ડોકટર ક્યારેય એમને મળશે નહીં. તેમણે તેમની વર્તણૂકને ખૂબ સારી ગણાવી. તેમણે કહ્યું કે, તેના મૃત્યુના સમાચારે તેમને હલાવી દીધા હતા. તબીબના મોતની માહિતી મળતા હોસ્પિટલનો સ્ટાફ હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
ડો. અરુણની આ જ બે ફોટા કરુણ ગુપ્તાએ પ્રસારિત કર્યા છે અને લખ્યું છે કે, “મારા મોટા ભાઈ ડો. અરુણ પ્રતાપ સિંહનું મા વૈષ્ણોદેવી દરબારમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ થયું છે.” વધુમાં દિનેશ અગ્રહરીએ લખ્યું કે, ” એમને માતા વૈષ્ણો દેવીના દરબારમાં નાસભાગમાં ડો. અરુણ પ્રતાપ સિંહના મૃત્યુ પર ઊંડો શોક છે.” અતુલ જયસ્વાલે ડો.ના લગ્ન સાથે જોડાયેલી યાદો પ્રસારિત કરી છે. તેમણે લખ્યું છે કે, “ડૉ. અરુણ પ્રતાપ સિંહ હવે આપણી વચ્ચે હાજર નથી.
શુક્રવારે બપોરે ડોક્ટર અરુણ પ્રતાપ સિંહ તેમના ફેસબુક આઈડી પરથી લાઈવ આવ્યા હતા. વૈષ્ણવ માતાના મંદિરે દર્શન કરવા જતાં સૌથી પહેલા તેમણે જય માતા દી કહ્યું. આ સમયગાળા દરમિયાન તેમણે પીળા રંગની ટી-શર્ટ પહેરી હતી અને તેના ગળામાં માતા રાનીની ચુનરી પણ હતી. ફોટાઓ અને વિડિયો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ડૉક્ટર અરુણ પ્રતાપ સિંહ કટરાની આસપાસ જ હશે.
આ વીડિયો 2 મિનિટ 24 સેકન્ડનો હતો, પણ આ વીડિયો તેમન જીવનનો છેલ્લો વીડિયો બની ગયો. તે છેલ્લે ફેસબુક પર જ વીડિયોમાં જોવા મળ્યો હતો. ડૉક્ટર અરુણના મિત્ર રાયગંજના રજનીશ સિંહે જણાવ્યું કે ઘટનાના 21 કલાક પહેલા ડૉ.અરુણ પ્રતાપ સિંહ ફેસબુક પર લાઈવ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવ્યા હતા, પણ આ સમય દરમિયાન આ મોટો અકસ્માત થયો હતો અને તરત જ અરુણને ફોન ડાયલ કરવામાં આવ્યો પરંતુ તેનો ફોન બંધ જતો હતો, જેના કારણે ચિંતા વધુ વધી પરંતુ પછી તેના મૃત્યુની જાણ કરવામાં આવી. આના થોડા કલાકો પહેલા તેઓ પોતાની ખાનગી કારમાં સંગીત સાંભળતા માતા વૈષ્ણો દેવીના દરબારમાં જવાની વાત કરી રહ્યા હતા. ડો.અરુણ કારની આગળ બેઠેલા હતા અને તેમના અન્ય સાથીઓ પણ પાછળ બેઠા હતા. 20 ડિસેમ્બરે જ તેણે પોતાનો 7 વર્ષ જૂનો ફોટો પ્રસારિત કર્યો હતો અને તેણે લખ્યું હતું કે “સાત વર્ષ પહેલા”.
ધર્મદર્શન
અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી
Published
1 year agoon
April 19, 2021By
Gujju Media
અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. જેમાં અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે.
બાબા અમરનાથની પહેલી તસવીર જે સામે આવી છે તેમા શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ દેખાય છે. આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને છે, જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર જાય છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલના માર્ગે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા 22 ઓગસ્ટના રોજ પૂરી થશે.
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 1લી એપ્રિલથી શરૂ થઈ જાય છે. સમગ્ર દેશમાં રજિસ્ટ્રેશન 446 બેન્ક શાખા મારફતે કરી શકાય છે. યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુફા ખૂબ જ ઉંચાઈ પર આવેલી છે અને યાજ્ઞા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. યાત્રાને લગતી જાણકારી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે.
જાણવા જેવું
વાઘ નામના દૈત્યને માર્યો હોવાથી કરાય છે વાઘ બારસની ઉજવણી
Published
2 years agoon
November 12, 2020By
Gujju Media
ઉજાસના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વાઘ બારસની આજરોજ ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે જ દિવાળીના તહેવારોનો પણ પ્રારંભ થઇ જશે. શુક્રવારે ધનતેરસ, શનિવારે દિવાળી અને રવિવારે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવશે. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૃઆત થાય છે. વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘ બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.
આ દિવસ વાગ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો છે ત્યારે આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભૂત પરિણામ મળતા હોય છે. વાઘ બારસના દિવસે ગાય,વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ભવિષ્ય પુરાણ અનુસાર, ગૌમાતાના પૃષ્ઠભાગે બ્રહ્મનો વાસ છે, ગળામાં વિષ્ણુ, મુખમાં રૂદ્રનો, મધ્યમાં સમસ્ત દેવતાઓ અને પૂંછડીમાં અનંત નાગ તેમજ ગૌમૂત્રમાં ગંગા વગેરે નદીઓ અને નેત્રોમાં સૂર્ય ચંદ્ર બિરાજમાન છે અને માટે જ આ દિવસે સ્ત્રીઓ તેમના પુત્રની સલામતી અને દીર્ઘાયુની કામના તેમજ પરિવારની ખુશી માટે આ પર્વ ઉજવે છે

એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ

‘પાપાની દેવદૂત’ અરુણિતા કાંજીલાલની ક્યૂટ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે, પનવદીપ રાજને કર્યું, આ કામ.

ટકી રહેવા માટે, તેમનો પરિવાર જોખમી છે, જ્યારે અક્ષય કુમારે સૈફ અલી ખાનને કરીના વિરુદ્ધ ઉશ્કેર્યો ત્યારે શું થયું જુઓ.

જો તક મળશે તો હું ફરી ખાન પરિવારની વહુ બનીશ, મલાઈકાએ છૂટા છેડા લીધા પછી પણ સાસરિયાંના વખાણ કર્યા.

અનુપમા સિરિયલ અનુપમાની સૌથી વધુ કમાણી કરનાર બની અભિનેત્રી, એક એપિસોડ માટે આટલો ચાર્જ લે છે.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ