Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અટલજી સાથે જોડાયેલા 6 કિસ્સા, જે તમે કદાચ નહિ જાણતા હોવ: પગપાળા સંસદ આવતા હતા, નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > અટલજી સાથે જોડાયેલા 6 કિસ્સા, જે તમે કદાચ નહિ જાણતા હોવ: પગપાળા સંસદ આવતા હતા, નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો
વિશ્વ

અટલજી સાથે જોડાયેલા 6 કિસ્સા, જે તમે કદાચ નહિ જાણતા હોવ: પગપાળા સંસદ આવતા હતા, નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો

Gujju Media
Last updated: October 30, 2018 8:00 am
By Gujju Media 4 Min Read
Share
Image result for atal bihari vajpayee RIP
SHARE

અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વમાં છદ્મ આવરણ નહીવત્ હતું. તેમજ સાર્વજનિક જીવનમાં શાલીનતા પણ જાળવી રાખતા હતા. દરેક પરિસ્થિતિમાં તેમનું આચરણ સહજ રહેતું હતું. અટલજી સાથે લાંબા સમય સુધી રહેલા લાલકૃષ્ણ અડવાણી, તેમના નજીકના સહયોગીઓ અને કેટલાક લેખકોએ તેમની સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાઓ સમયાંતરે શેર કર્યાં છે. અટલજી એવું વ્યક્તિત્વ હતા કે તે સંસદ માં પગપાળા આવતા હતા. પંડિત નહેરુ પણ અટલજીથી પ્રભાવિત હતા. તેમની ભાષણ શૈલીથી અડવાણીજીને ઘણો કોમ્પ્લેક્સ રહેતો હતો.

૧. ટીવી બંધ કરી દીધું તો નારાજ થઇ ગયા

અટલજી જ્યારે નવ વર્ષ બીમાર રહ્યા અને શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું ત્યારે તેઓ ઘણીવાર ટીવી જોતા હતા. 2014માં થયેલી ચૂંટણીના પરિણામો પણ તેમણે ટીવી પર જોયા. તેઓ બોલતા ન હતા પરંતુ તેમના ચહેરા પર આવી રહેલા હાવભાવ સમાચારોને લઇને તેમના રિએક્શન્સ જણાવી દેતા હતા. પરિવારના સભ્યો અને સહયોગીઓ તેમને અખબાર વાંચીને સંભળાવતા હતા. એકવાર ટીવી પર ગૃહની કાર્યવાહીનું પ્રસારણ થઇ રહ્યું હતું, ત્યારે કોઇએ ટીવી બંધ કરી દીધું તો અટલજી બાળકની જેમ ગુસ્સે થઇ ગયા. ત્યારબાદ જ્યારે ફરી ટીવી ચાલુ કરવામાં આવ્યું તો તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. જ્યારે જૂની ફિલ્મો ટીવી પર આવી રહી હોય તો તેઓ મૌન બનીને જોયા કરતા હતા.

- Advertisement -

2. પગપાળા સંસદ આવતા હતા

લાલકૃષ્ણ અડવાણીએ એકવાર ભાસ્કરને 1957નો એક કિસ્સો જણાવ્યો હતો. ત્યારે અટલજી પહેલીવાર સાંસદ બન્યા હતા. બીજેપી નેતા જગદીશપ્રસાદ માથુર અને અટલજી બંને એકસાથે ચાંદની ચોકમાં રહેતા હતા. પગપાળા જ સંસદ આવતા-જતા હતા. છ મહિના પછી અટલજીએ રિક્ષામાં જવા માટે કહ્યું તો માથુરજીને આશ્ચર્ય થયું. તે દિવસે તેમને એક સાસંદ તરીકેનો 6 મહિનાનો પગાર એકસાથે મળ્યો હતો. માથુરજીના શબ્દોમાં આ જ અમારી એશ હતી.

- Advertisement -

3. ચૂંટણી હારીને ફિલ્મ જોવા જતા રહ્યા હતા

અડવાણીના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં નયાબાંસની પેટાચૂંટણી હતી. અમે ખૂબ મહેનત કરી, પરંતુ અમે હારી ગયા. અમે બંને દુઃખી હતા. અટલજીએ મને કહ્યું કે ચલો સિનેમા જોઇ આવીએ. અજમેરી ગેટમાં અમારી ઓફિસ હતી અને પાસે જ પહાડગંજમાં થિયેટર. ખબર ન હતી કઇ ફિલ્મ લાગેલી છે. પહોંચીને જોયું તો રાજ કપૂરની ફિલ્મ હતી- ‘ફિર સુબહ હોગી’. મેં અટલજીને કહ્યું- “આજે આપણે હાર્યા છીએ પરંતુ જોજો સવાર જરૂર થશે.” અમે ઘણીવાર અજમેરી ગેટથી ઝંડેવાલા તકતાંગેમાં જમવા જતા હતા.

- Advertisement -

૪. બાળકની જેમ ડિઝ્નીલેન્ડની મજા માણી

કરિયરનો કોઇપણ પડાવ કેમ ન હોય, તેમની અંદરનું બાળક હંમેશાં જીવતું રહ્યું. 1993ની વાત છે. અમેરિકા પ્રવાસના સમયે, ફુરસતના સમયમાં તેઓ ગ્રાન્ડ કેનિયન અને ડિઝ્નીલેન્ડ પહોંચી ગયા. બાળક જેવી જિજ્ઞાસા સાથે તેઓ લાઇનમાં ઊભા રહ્યા. ટિકિટ ખરીદી અને રાઇડ્સનો આનંદ લીધો. તેમના વ્યક્તિત્વનું આ પાસું બહુ ઓછું જાણીતું છે.

- Advertisement -
- Advertisement -

૫. કારગિલ યુદ્ધ બાદ કહ્યું હતું- હું પોતાની જાતને ભારત રત્ન કેવી રીતે આપી શકું…

કારગિલ યુદ્ધ બાદ અટલજીને તેમના કેટલાક મંત્રીઓએ કહ્યું, “અમે તમને ભારત રત્ન આપવા માગીએ છીએ.” અટલજીએ વઢતા કહ્યું, “હું પોતાની જાતને ભારત રત્ન આપી દઉં શું? ભવિષ્યમાં કોઈ સરકારને લાગશે તો આપશે, હું પોતાની જાતને નહીં આપું.” કારગિલ યુદ્ધ બાદ સંબંધ સુધારવા માટે વાજપેયીએ 2001માં પરવેઝ મુશર્રફને આગ્રા બોલાવ્યા હતા. આતંકવાદ શબ્દને લઈને વાજપેયીની દ્રઢતાના કારણે મુશર્રફે ઉદાસ થઈને પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું.

૬. નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો

- Advertisement -

પાકિસ્તાની પત્રકાર નસીમ ઝેહરાના પુસ્તક ફ્રોમ કારગિલ ટૂ ધ કોપમાં અટલજી તરફથી નવાઝ શરીફનો ભારત પ્રવાસ રદ કરવાનો ઉલ્લેખ છે. જેમાં લખવામાં આવ્યું છે કે 1999માં શરીફ ભારત આવવાના હતા. તેઓએ ફેક્સથી ગુડવિલ મેસેજ પણ ભારત મોકલી દીધો હતો. લગભગ રાત્રે 10 વાગ્યે આવેલો અટલજીનો જવાબ તોપના ગોળા સમાન હતો. તેઓએ લખ્યું હતું કે તેઓ નવાઝને ભારત નથી બોલાવી રહ્યા, પરંતુ પાકિસ્તાનને કારગિલમાં ઉપસ્થિત સેના હટાવવાની માંગ કરી રહ્યા છે. જેથી બંને પક્ષોની વચ્ચે વાતચીતની શરૂઆત થઈ શકે.

source: www.divyabhaskar.co.in

You Might Also Like

કેન્યામાં માર્ગ અકસ્માત: બસ ખાડામાં પડતાં 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

અમેરિકન રાષ્ટ્રધ્વજ સળગાવનારા પર ટ્રમ્પ ગુસ્સે થયા, તેમની સરખામણી પ્રાણીઓ સાથે, કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો

ઑસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબાર, 7 વિદ્યાર્થીઓ સહિત 8 લોકોના મોત, ઘણા ઘાયલ

રશિયાએ ફરી યુક્રેનના 2 શહેરો પર તબાહી મચાવી, ડ્રોન અને મિસાઇલોથી ઝડપી હુમલા કર્યા

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તણાવ વધ્યો, રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ટેસ્લાની સબસિડી સમાપ્ત’, મસ્કે મહાભિયોગ ગીત શરૂ કર્યું

- Advertisement -
TAGGED:6 cases related to AtaljiAtal BihariAtal Bihari Vajpayee dathAtal Bihari Vajpayee RIPwhich you probably do not knowઅટલ બિહારી વાજપેયીઅટલજી
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

shahbaz sharif government cuts pok budget by 16 percent
વિશ્વ

પાકિસ્તાને PoK ને પોતાના દમ પર છોડી દીધું, શાહબાઝ શરીફે બજેટમાં 16 ટકાનો ઘટાડો કર્યો

By Gujju Media 2 Min Read
harvard files legal challenge over trump ban on foreign students
વિશ્વ

હાર્વર્ડ યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશને પડકાર્યો, કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો સમગ્ર મામલો

By Gujju Media 2 Min Read
russia deadly attack on ukraine with missiles and drones revenge of operation spider web
વિશ્વ

રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી ઘાતક હુમલો કર્યો, ઓપરેશન સ્પાઇડર વેબનો બદલો લીધો

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?