સ્પોર્ટ્સ
પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
Published
2 years agoon

2020માં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા.
ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રહ્યા છે. જુલાઇ મહિનામાં ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત સતત ખરાબ થઇ રહી હતી.
ચૌહાણની બંને કિડની ફેલ થયા બાદ ગત શનિવારના તેમને ગુરૂગ્રામના મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે છેલ્લો શ્વાસ લીધો.ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ રમી હતી. આ ઉપરાંત તેમણે 7 એક દિવસીય મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

ટેસ્ટ ક્રિકેટમાં ચેતન ચૌહાણના નામ 2084 રન નોંધાયેલા છે. જેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન રહ્યો છે.ચેતન ચૌહાણ અમરોહ જિલ્લાના નૌગાંવા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર 1991 અને 1998માં લોકસભા ચૂંટણી જીતી હતી.
You may like
-
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
-
પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો
-
કોરનાએ ફરી રાજ્યમાં આજે સદી ફટકારી! અમદાવાદમાં જ ૫૦થી વધુ કેસ
-
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
-
બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
સ્પોર્ટ્સ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જીત્યું છે 503 મેડલ્સ! જાણો અત્યાર સુધીની જર્ની
Published
3 months agoon
July 19, 2022
કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 28 જુલાઈથી ઈંગ્લેન્ડના બર્મિગહામ શહેરમાં થવા જઈ રહી છે. 12 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનું સમાપન 8 ઓગસ્ટે થશે. આ વર્ષે ભારતના કુલ 215 ખેલાડીઓ ભાગ લેશે. જોકે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસની વાત કરીએ તો તેની પહેલી સિઝન 1930માં રમવામાં આવી હતી. જેમાં ભારતે ભાગ લીધો ન હતો. ભારતે પહેલીવાર 1934 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જ્યાં 1 મેડલ ભારતના ખાતામાં આવ્યો હતો. અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સની 21 સિઝન પૂરી થઈ ગઈ છે. જેમાં ભારતે 1930, 1950, 1962 અને 1986માં ચાર વખત ભાગ લીધો ન હતો.
રાશિદ અનવરે અપાવ્યો પ્રથમ મેડલ:
રેસલર રાશિદ અનવરે ભારતને સૌથી પહેલો મેડલ ડેબ્યુ સિઝન 1934માં અપાવ્યો હતો. તેમણે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતી હતી.
આઝાદી પછી ભારતે પહેલીવાર 1954માં ભાગ લીધો:
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર 1954માં ભાગ લીધો. તે વર્ષે ભારતની ઝોળીમાં એકપણ મેડલ આવ્યો નહતો. 1966માં પહેલીવાર ભારત મેડલની યાદીમાં બેનો આંકડો સ્પર્શ કરવામાં સફળ રહ્યું. તે સમયે ભારતે કુલ 10 મેડલ જીત્યા. તેના પછી સતત ભારતના મેડલની યાદીમાં વધારો થતો ગયો.
2010માં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું:
ભારતને એક વાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળી અને તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી. 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્લીમાં થયું હતું અને ભારતે કુલ 101 મેડલ જીત્યા હતા. તે સિવાય ભારત ક્યારેય 100નો આંકડો સ્પર્શ કરવામાં સફળ રહ્યું નથી.
છેલ્લી સિઝન ભારત માટે કેવી રહી:
2018માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમેરિકામાં થયું હતું. આ દરમિયાન ભારતે 26 ગોલ્ડની સાથે 20 સિલ્વર અને તેટલાં જ બ્રોન્ઝ સાથે કુલ 66 મેડલ પોતાના નામે કર્યા હતા. મેડલની યાદીમાં ભારતે ઓસ્ટ્રેલિયાના 198 મેડલ અને ઈંગ્લેન્ડ 136 મેડલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા 503 મેડલ:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી કુલ 503 મેડલ જીત્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2010 કોમનવેલ્થ ગેમ્સમાં જોવા મળ્યું હતું. ભારતે તે સમયે 101 મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું હતું. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 181 ગોલ્ડ, 173 સિલ્વર અને 149 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
કઈ ગેમ્સમાં ભારત મજબૂત:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને રેસલિંગમાં શાનદાર રહ્યું છે. અત્યાર સુધી શૂટિંગમાં ભારત 63 ગોલ્ડની સાથે 135 મેડલ, વેઈટલિફ્ટિંગમાં 43 ગોલ્ડની સાથે 125 મેડલ અને રેસલિંગમાં 43 ગોલ્ડની સાથે 102 મેડલ જીત્યા છે. 503માંથી 362 મેડલ તો ભારતે આ ત્રણ રમતમાં જ જીત્યા છે
સ્પોર્ટ્સ
Asia Cup 2022માં ભારત-પાકિસ્તાન ફરી થશે આમને સામને જાણો ક્યારે છે તેમની વચ્ચે મેચ
Published
3 months agoon
July 12, 2022
ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે મેચ થવાની છે, એવું સાંભળીને ક્રિકેટ રસિકો ભારત-પાકિસ્તાનની મેચ જોવા ઉતાવળા થઇ જતા હોય છે. ત્યારે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ખુશખબર સામે આવી છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે એશિયા કપમાં ખૂબ જ જલ્દી મેચ રમાવાની છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે એશિયા કપની (Asia Cup 2022) મેજબાની શ્રીલંકા કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022ની શરૂઆત 27 ઓગસ્ટના રોજ થશે. જોકે, હજી સુધી ટૂર્નામેન્ટનું શેડ્યુઅલ જાહેર કરવામાં નથી આવ્યું.
ભારતે પાકિસ્તાન સામે રમવા અને શ્રીલંકા પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જેને લઈને શ્રીલંકાએ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. 21 ઓગસ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ શરુ કરી દેવામાં આવશે. તો 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ટૂર્નામેન્ટની મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા, જયારે પાકિસ્તાનની કેપ્ટનશીપ બાબર આઝમ સંભાળશે. ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. આ ઉપરાંત યુએઈ, નેપાળ, ઓમાન, હોંકૉન્ગ અને બાકીની ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. ટીમ ઇન્ડિયા આ વખતે ડીફેન્ડીગ ચેમ્પિયન છે, જેણે ગત ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હાર આપી હતી.
રિપોર્ટ્સ અનુસાર, એશિયા કંપની શરૂઆતના બીજા જ દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ શકે છે. મહત્વનું છે કે, 28 ઓગસ્ટના રોજ રવિવાર છે અને ભારત-પાકિસ્તાનની મેચ માટે આનાથી વધુ સારો બીજો કોઈ દિવસ ન હોઈ શકે. રવિવાર અને ભારત-પાકિસ્તાનની મેચના સંગમનો ફાયદો એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિત બ્રોડકાસ્ટર્સને વધુમાં વધુ TRP મળી શકે છે. જેના કારણે આ મેચ માટે રવિવાર પસંદ કરાયો છે.
સ્પોર્ટ્સ
આ કપ્તાને ભારતીય ખેલાડીઓને ફિલ્ડમાં દાદાગીરી શીખવાડેલ
Published
3 months agoon
July 8, 2022
પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને હાલના બીસીસીઆઈના વડા આજે 50 વર્ષના થયા છે. ભારતીય ખેલાડીઓને વિદેશી ખેલાડીઓને ઓન ફિલ્ડ જવાબ આપતા શિખવાડ્યું હતું ગાંગુલીએ. સૌરવ ગાંગુલીનો આજે 50મો જન્મદિવસ છે. પ્રિન્સ ઓફ કોલકતા કહેવાતા આ ખેલાડી ભારતીય પ્લેયર્સમાં લડવાની અલગ આગ આપી હતી. તેમના જ કારણે આજે ભારત આજે ઓસ્ટ્રેલિયન પ્લયર્સના સ્લેજિંગની જડબાતોડ જવાબ આપતા શિખ્યા છે.
એ કેપ્ટન જેણે યુવી-ભજ્જી, સહેવાગ અને ધોની જેવા અનેક ખેલાડીઓની બનાવી દીધી લાઈફઃ
વર્ષ 2000માં મેચ ફિક્સિંગના સ્કેન્ડલ બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ટિમની સુકાની મેળવી હતી, અને તેમની આગેવાનીમાં ઘણા યુવા ક્રિકેટરો તૈયાર થયા હતા. યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, ઝહિર ખાન, હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, આશિષ નેહરા, મોહમ્મદ કેફ જેવા પ્રતિભાશાળી ક્રિકેટરોએ ગાંગુલીની આગેવાનીમાં ડેબ્યુ કર્યું હતું.
ગાગુંલીએ જ વિરેન્દ્ર સહેવાગને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરવા માટે કહ્યું હતું, જે બાદ સહેવાગની ગેમમાં અને કરિયરમાં બદલાવ આવ્યો હતો. સહેવાગ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા બે ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી.ગાંગુલીએ પોતાની કેપ્ટનશીપ દરમિયાન કેટલા બહાદુરી ભર્યા નિર્ણયો પણ લીધા હતા. જેમકે, જ્યારે ભારત પાસે કોઈ વિકેટ કિપર બેટર ન હતો. ત્યારે, પોતાના વાઈસ કેપ્ટન રાહુલ ડ્રવિડની તેમણે વિકેટ કિપિંગ કરવા કિધી હતી. અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. તેમની જ આગેવાનીમાં ભારતે 2001માં ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રિલાયામાં જ હરાવ્યું હતું. ઈંગ્લેન્ડનમાં 2002 નેટવેસ્ટ ટ્રોફી ભારતને જીતાવી હતી. અને તેમની સૌથી મોટી સિદ્ધી ગણી શકાય તે બતી 2003નો વિશ્વ કપ, જેમાં ભારત ફાઈનલ સુધી પહોંચ્યું હતું. 2005માં તેમણે ભારતના કટ્ટર હરિફ એવા પાકિસ્તાન સામે પણ ટેસ્ટ શ્રેણી જીતી હતી.
ઉપનામોના રાજા સૌરવઃ
‘દાદા’, ‘પ્રિન્સ ઓફ કોલકતા’, ‘ગોડ ઓફ ઘ સ્ટાઈલ્સ’, ‘કિંગ ઓફ કમ્બેક્સ’, મહારાજ, ‘રોયલ બેંગોલ ટાયગર’ આ નામ સૌરવ ગાંગુલીને તેમના ફેન્સ અને તેમના સાથી ખેલાડીઓ દ્વારા અવામાં આવ્યા હતા. જ્યોફ્રી બોયકોટે તેમને ‘ધ પ્રિન્સ ઓફ કોલકતાનું નાંમ આપ્યું હતું. તેમના પરિવાર દ્વારા તેમને ‘મહારાજ’ નામન આપવામાં આવ્યું હતું. સ્ટિવ વોઘને ટોસ માટે રાહ જોવળાવી કે પછી લોર્ડસની બાલકનીમાંથી ટીશર્ટ કાઢી લહેરાવી દરેક વાત ગાંગુલીની આજે પણ લોકોને યાદ છે.
લોર્ડસના રાજાઃ
સૌરવ ગાંગુલીએ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચમાં ડેબ્યુ કર્યું હતું. પણ બાદમાં તેમનું વર્તન ખરાબ હોવાનું કારણ આપી તેમને ટિમમાંથી બરતરફ કરાયા હતા.
જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે પોતાના પર્ફોમન્સથી લોકોને સતબ્ધ કર્યા હતા અને 1996માં તેમના ટીમમાં લેવા માટે મજબૂર કર્યા હતા. ગાંગુલીનો લોર્ડસ મેદાન ખાતેની ડેબ્યુ ટેસ્ટ મેચ કોઈ સપાનથી ઓછી ન હતી. તેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી બનાવી હતી.
ગાંગુલીએ પોતાના 311 મેચના વન ડે કરિયરમાં 11,163 રન બનાવ્યા હતા. જેમાં, 22 સદી અને 72 અર્ધ સદી સામેલ છે. જ્યારે, 113 ટેસ્ટ મેચમાં ગાંગુલીએ 7,212 રન કર્યા છે. જેમાં, 16 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરી કરી હતી.
ગાંગુલી, એક સંચાલકઃ
2008માં ક્રિકેટને અલવિદા કહ્યા બાદ દાદાએ પસંદ કર્યું ક્રિકેટને પરત કઈ આપવું. તેઓ ક્રિકેટ એસોશિયેશન ઓફ બેંગાલના પ્રેસિડેન્ટ બન્યા હતા. અને 23 ઓક્ટોબર 2019ના રોજ બીસીસીઆઈના 39માં પ્રેસિડેન્ટ બન્યા.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન