Connect with us

ગુજરાત

તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં

Published

on

છેલ્લા બે દિવસથી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે… કોરોના વાયરસ  ફેલાવાથી આ જમાત દેશભરના નિશાને આવી ગઇ છે… લોકડાઉન છતા અહીં 2000થી વધારે લોકોનું એકઠા થવું સામાજિક જવાબદારી પર સવાલ ઉભા કરી રહ્યા છે. દિલ્હી પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ અને અન્ય વિરુદ્ધ મહામારી કાયદો 1897 હેઠળ કેસ નોંધ્યો છે…

દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયુ છે. તબલીગી જમાતમાં ગુજરાતથી પણ અનેક લોકો પહોંચ્યા હતા. ત્યારે ગુજરાતમાંથી અમદાવાદમાંથી 30 જેટલા દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા લોકોની ભાળ મળી આવી છે તે તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે આ તમામ લોકો દરિયાપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. જેમના રિપોર્ટ કરાઈ રહ્યા છે..જ્યારે ગુજરાતમાંથી આશરે 100 જેટલા લોકો તબલીગી જમાતમાં હાજરી આપવા પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તબલીગી જમાતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેમનામાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે…

તબલીગી જમાત એટલે શું છે?

તબલીગીનો મતલબ છે અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરવો. જમાતનો મતલબ થાય છે સમૂહ. એટલે કે અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરનારને તલબીગી જમાત કહે છે. આ લોકો ઇસ્લામને માને છે. માનવામાં આવે છે કે દુનિયાભરમાં આ જમાતનાં 15 કરોડ સભ્ય છે. ભારતમાં મોઘલ શાસનમાં કેટલાયે લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. છતાં તેઓ હિંદૂ પરંપરા અને રીત-રિવાજ અપનાવી રહ્યાં હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પછી આર્ય સમાજે તેમને ફરી હિંદુ બનાવવાનું અભિયાન આદર્યું છે. તો સામે મૌલાના ઈલિયાસ કાંધલવીએ ઈસ્લામના શિક્ષણનું કામ શરૂ કર્યું છે. આ માટે મૌલાનાએ 1926-27માં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતની રચના કરી છે. ફરી હિંદુ ધર્મ અપનાવતા લોકોને ઈસ્લામમાં જ રાખવા એ આ જમાતનું મુખ્ય કામ હતું. તબલીગી જમાતનો મતલબ થાય છે અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરવો. અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરનારો સમૂહ એટલે તબલીગી જમાત.

મરકઝ એટલે શું?

મરકઝનો મતલબ થાય છે કે તબલીગી જમાતને મળવાનું સ્થળ છે. તબલીગી સાથે જોડાયેલા લોકો પારંપરિક ઈસ્લામ ધર્મમાં માને છે. તબલીગી જમાતનું હેડક્વાટર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં જ છે. તબલીગી જમાતનું કામ આજે દુનિયાભરના 213 દેશોમાં ચાલી રહ્યું છે. મરકજમાંથી જ અલગ અલગ જગ્યાએ જવા માટે જમાત નીકળે છે. 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ અને 40 દિવસની પણ જમાત હોય છે. એક જમાતમાં 8થી 10 લોકો હોય છે, જેમાંથી 2 લોકો જમવાનું બનાવે છે. જમાતના લોકો સવારે-સાંજે શહેરોમાં નિકળે છે અને લોકોને નજીકની મસ્જિદમાં પહોંચવાનું કહે છે. મસ્જિદમાં લોકો પહોંચે એટલે તેમને રોજા રાખવા અને નમાજ પઢવાનું કહેવાય છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગુજરાત

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’

Published

on

ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending