Connect with us

ઈતિહાસના પાનામાં લટાર

મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ: ઈતિહાસના પાનામાં લટાર

Published

on

અમારા વાચક વર્ગ માટે અમે નવો લેખ લઈને આવ્યા છીએ જેનું નામ છે ‘ઈતિહાસના પાનામાં લટાર’. આ લેખ માં અમે તમને જણાવી શું આપણા ઈતિહાસ વિશે જે ગુજરાતમાં રચાયેલો છો અને જે આપણું ગૌરવ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો આજે આપણે ઇતિહાસના આ પાનામાં લટાર મારીશું.

ઇતિહાસ:

હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. આ ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો અને એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતી ની અંદર તરફ વધારે છે. આ નગરના નામ ચાંપાનેર અંગે પણ ત્રણેક લોકવાયકા પ્રચલિત છે. અહીંના લાલાશ પડતા પથ્થરોનો રંગ ચંપક (સોનચંપો) ફૂલના રંગ જેવો હોવાથી તેનું નામ ચાંપાનેર પડ્યું. બીજી વાયકા મુજબ, ગુજરાત પ્રદેશના રાજા વનરાજ ચાવડાના મિત્ર અને દીવાન ચાંપા વાણિયાના નામ પરથી આ નગર ચાંપાનેર તરીકે ઓળખાયું. અને ત્રીજું ચાંપા નામના ભીલ અગ્રણીના નામ પરથી આ નગરનું નામ ચાંપાનેર હોવાનું પણ મનાય છે. નામ જે રીતે પડ્યું હોય એ રીતે, પણ પાવાગઢ અને તેની તળેટીમાં વસેલા ચાંપાનેરનું ગુજરાતના ઈતિહાસમાં વિશિષ્ટ મહત્વ રહ્યું છે.

પાવાગઢમાં ઉત્ખનન દરમ્યાન પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે, આ સિવાય મૈત્રક શાસકોના જમાનાના સિક્કાઓ પણ મળી આવ્યા છે. પાવાગઢ ખૂબ મજબૂત કિલ્લો હતો અને પાવાગઢમાં કુલ ૧૨ રાજા થઈ ગયા. ઈ.સ.૧૩૦૦ ની આસપાસ પાવાગઢનો વિસ્તાર ચૌહાણ વંશના શાસકોના હાથમાં આવ્યો, જેમના શાસનનો કુલ ગાળો ૧૮૪ વરસનો હતો. ચાંપાનેર પડાવવા માટે અહમદશાહે ઈ.સ. ૧૪૧૮ અને ૧૪૨૦માં કૂચ કરી હતી, પણ તેને સફળતા મળી નહોતી. ફરી એક વાર તે ૧૪૩૧માં ચડી આવ્યો,અને વધુ એક વાર ખાલી હાથે પાછો ગયો. ૧૪૫૦માં મહંમદ બીજાએ અહીં ચડાઈ કરી અને નીચેનો ગઢ કબજે કર્યો. પરંતુ, તેણે છેવટે ગોધરા જતું રહેવું પડ્યું. ચાંપાનેરનો છેલ્લો રાજપૂત શાસક રાજા હતો પતાઈ રાવળ જેમનું ખરું નામ જયસિંહદેવ પતાઈ હતું. જેને ગુજરાતના સુલતાન નાસીરૂદ્દીન મહેમૂદશાહે પરાસ્ત કર્યો. મહેમૂદશાહે આ કિલ્લાને વીસ વીસ મહિના સુધી ઘેરો ઘાલેલો રાખ્યો અને પોતાની ભીંસ વધારતો ગયો. એપ્રિલ, ૧૪૮૩ થી ડિસેમ્બર, ૧૪૮૪ સુધી ચાલેલા આ ઘેરા પછી પતાઈ રાવળનું પતન થયું.

મહેમૂદશાહે ચાંપાનેરને પોતાની બીજી રાજધાની બનાવ્યું અને તેનું નામ આપ્યું મેહમૂદાબાદ. પાવાગઢ જીતેલા મહેમૂદશાહનું ઉપનામ ત્યાર પછી ‘બેગડો’ (બે ગઢ- જૂનાગઢ અને પાવાગઢને જીતનાર) પડ્યું અને ઈતિહાસમાં તે ‘મહંમદ બેગડા’ તરીકે જાણીતો થયો. મહેમૂદ બેગડાના શાસનકાળમાં ચાંપાનેરની સમૃદ્ધિ ખીલી, પણ તે અલ્પજીવી નીવડી. મોગલ બાદશાહ હુમાયુએ અહીં આક્રમણ કર્યું અને ત્યાર પછી પાટનગર અમદાવાદ ખસેડાયું. એ પછી મહેમૂદ ત્રીજાએ સમ્રાટ અકબરના શાસનકાળ દરમ્યાન ચાંપાનેર ફરી કબજે કર્યું. પછી શાહ મિરઝાએ પણ ચાંપાનેર પર શાસન કર્યું, અને ત્યારબાદ બહુ ઝડપથી ચાંપાનેર ઉજ્જડ થતું ગયું. એમ તો ૧૭૧૭માં આ નગર કૃષ્ણાજી કદમના હાથમાં આવ્યું અને ત્યાર પછી સિંધીયા ના હાથમાં ગયું. ૧૮૫૩માં છેવટે તે અંગ્રેજોને સુપરત કરાયું.

દંતકથાઓ:

૧ દંતકથા:-

પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમનાં ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતું પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતુ આપ્યું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયાં જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યાં અને પોતે અગ્નિકુંડમાં કુદી પડ્યાં. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયાં અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યાં. ભગવાન શિવના આ રૂપને જોઈને બધાં જ દેવતાંઓ ખુબ જ ભયભીત થયાં તેથી ભગવાન વિષ્ણુંએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી બાવન શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જ્ગ્યા પર પડી હતી. તેથી પાવાગઢ માં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી.

૨ દંતકથા:-

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી.

૩ દંતકથા:-

એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી મા એ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યાં તો તેમના સૌદર્યને જોઈને રાજા પતાઈ અંજાઇ ગયા અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયાં અને તેને શ્રાપ આપી દિધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે પતાઈ રાજા નું રાજ નાશ પામ્યું. અને તે ગઢ ઉપર ગુજરાતનો મહંમદ બેગડો ચઢી આવ્યો.

પાવાગઢ પર ભદ્રકાળી તથા મહાકાળિનાં બે શિખર છે. જે ૧૭૦૦ તથા ૨૭૨૦ ફૂટ ઊંચે છે. પાવાગઢ પર ૧૭૦૦ ફૂટ ઉપર માંચી નામનું સ્થળ છે. યાત્રાળુ રાત્રે માંચી રોકાય છે. સવારે ગઢ ચઢે છે. બપોર પહેલાં દર્શન કરી નીચે આવી જાય છે. પહેલાં તો અહીં પગથિયાં ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ છે. •

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ઈતિહાસના પાનામાં લટાર

એક જ માતાએ જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો, જુઓ આ ફોટાઓ અને માહિતી.

Published

on

પ્રથમ વખત માતા-પિતા બનવાનો અનુભવ હંમેશા દુનિયાની દરેક ખુશીમાનો એક અલગ આનંદમય અવસર હોય છે અને દરેક દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે, પણ જ્યારે કોઈને જોડિયા બાળકો થાય છે, ત્યારે તેમની ખુશી બમણી થઈ જાય છે અને આવો જ એક કિસ્સો અમેરિકાના મોન્ટેરી કાઉન્ટીનો છે, જ્યાં એક માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, પણ બંને બાળકોને 15 મિનિટના અંતરાલમાં અલગ-અલગ તારીખ તેમજ અલગ-અલગ વર્ષોમાં જન્મ આપ્યો.

ફાતિમા મદ્રીગલ અને તેમના પતિ રોબર્ટએ તાજેતરમાં જ મોન્ટેરી કાઉન્ટીના નેટીવિદાદ મેડિકલ સેન્ટરમાં તેમના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું, પણ બંનેનો જન્મ અલગ-અલગ વર્ષોમાં થયો હતો. હવે તમે વિચારશો કે આ કેવી રીતે શક્ય છે.

કેલિફોર્નિયામાં જન્મેલા જોડિયા બાળકોનો જન્મ થતાની સાથે જ આખી દુનિયામાં હેડલાઈન્સ બની ગઈ છે અને બંને બાળકોના જન્મમાં માત્ર 15 મિનિટનો જ તફાવત છે પણ પહેલા બાળકનો જન્મ વર્ષ 2021માં થયો હતો. જ્યારે બીજા બાળકનો જન્મ વર્ષ 2022માં થયો હતો. તે જ સમયે, તે જાણવા મળ્યું છે કે એક અહેવાલ અનુસાર, આવી દુર્લભ ઘટના 20 લાખ ગર્ભવતી મહિલાઓમાંથી કોઈ એક સાથે થવાની છે.

આટલું જ નહીં, પ્રાપ્ત માહિતી અનુસાર ફાતિમા મદ્રીગલે કેલિફોર્નિયામાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાત્રે 11:45 કલાકે પુત્ર આલ્ફ્રેડોને જન્મ આપ્યો હતો અને ત્યારપછી લગભગ 15 મિનિટ પછી વર્ષ 2022માં પુત્રી આઈલીનનો જન્મ થયો હતો અને આ રીતે મદ્રીગલ અલગ થઈ ગયા હતા. જુદા જુદા વર્ષોમાં તેમના જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે જ સમયે, મદ્રીગલ કહે છે કે, હું પોતે જ આશ્ચર્યચકિત છું કે મેં જુદા જુદા વર્ષોમાં મારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે!

ફાતિમાને જોડિયા બાળકો થવાના હતા. તેમના પુત્ર આલ્ફ્રેડોનો જન્મ 31 ડિસેમ્બર 2021ની રાત્રે 11:45 વાગ્યે થયો હતો અને તેનું વજન લગભગ 3 કિલો હતું. તે જ સમયે, તેમની પુત્રીનો જન્મ લગભગ 12:1 મિનિટે થયો હતો. તે જ સમયે, તેનું વજન પણ લગભગ 3 કિલો હતું અને આ રીતે 15 મિનિટ પછી 1 જાન્યુઆરી 2022 ના રોજ પુત્રીનો જન્મ થયો. તે સમયગાળામાં, હોસ્પિટલના તબીબો પણ આવા અનોખા કિસ્સાથી ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે માત્ર 15 મિનિટના વિલંબને કારણે જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

તે સમયગાળા દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર, ફાતિમાએ કહ્યું કે, તે એ જાણીને ચોંકી ગઈ હતી કે જોડિયા ભાઈ-બહેન હોવા છતાં, તેમના બાળકો અલગ-અલગ જન્મદિવસની ઉજવણી કરશે. આટલું જ નહીં હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી કરનાર ડૉક્ટર અન્ના એબ્રિલના કહેવા પ્રમાણે, જોડિયા બાળકોની આ ડિલિવરી તેમના કારકિર્દીની સૌથી યાદગાર ડિલિવરી છે. તેણે કહ્યું, “મારું સૌભાગ્ય છે કે, 2021 અને 2022માં મારા હાથે જોડિયા બાળકોનો જન્મ થયો.” તમને જણાવી દઈએ કે આ દંપતીને પહેલાથી જ ત્રણ બાળકો, 2 છોકરીઓ અને એક છોકરો છે.

આ ઉપરાંત ભાઈ-બહેનનો જન્મ મદ્રીગલના નાટીવિદાદ મેડિકલ સેન્ટરમાં થયો છે આ નવજાત શિશુનો ફોટો પ્રસારિત કરતા હોસ્પિટલે લખ્યું કે, “આવી ઘટના 2 મિલિયનમાંથી એક સાથે થાય છે.”

તે જ સમયે, હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, એક અંદાજ મુજબ દર વર્ષે અમેરિકામાં 1,20,000 જોડિયા જન્મે છે. જો કે કદાચ ભાગ્યે જ જોડિયા અલગ-અલગ જન્મદિવસે જન્મે છે અને અલગ-અલગ જન્મદિવસો માટે અલગ-અલગ મહિનાઓ અને વર્ષ હોય તે ભાગ્યે જ જોવા મળે છે.

આ સિવાય આવી દુર્લભ ડિલિવરી 31 ડિસેમ્બર 2019ના રોજ જોવા મળી હતી. તે દિવસે ડોન ગિલિયમે 11 જાન્યુઆરી 2020 ના રોજ રાત્રે 11:37 વાગ્યે તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને પછી 1 જાન્યુઆરી 2020 ના રોજ 12.07 વાગ્યે તેના બીજા બાળકને જન્મ આપ્યો અને આ જોડિયા બાળકોનો જન્મ કાર્મેલ, ઇન્ડિયાનાની એસેન્શન સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં થયો હતો.

Continue Reading

ઈતિહાસના પાનામાં લટાર

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

Published

on

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના સુધી અહીં દર્શન અને યાત્રા શરૂ રહે છે. ત્યાર બાદ કારતક મહિનો એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી કપાટ બંધ થઇ જાય છે. કપાટ બંધ થવા પર ભગવાન કેદારનાથને પાલખી દ્વારા ઊખીમઠ લઇ જવામાં આવે છે અને ત્યાં ઓંકારેશ્વર મંદિરમાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે.

કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે બનાવ્યું હતું. આ તીર્થ 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે.

 

સ્કંદ પુરાણ પ્રમાણે ગઢવાલને કેદારખંડ કહેવામાં આવે છે. કેદારનાથનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોય તેવી વાત સામે આવે છે. માન્યતા છે કે, 8મી-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન મળે છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળમાં પણ ઉપસ્થિત હોવાનું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. થોડી માન્યતાઓ પ્રમાણે, અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.

શિવ મહાપુરાણની કથા પ્રમાણે મહાભારત યુદ્ધ પૂર્ણ થવા પર પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે વેદવ્યાસજીથી પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઇને ભગવાન કેદારનાથનું દર્શન અને પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ પાંડવોએ કેદાખંડની યાત્રા શરૂ કરી.

કેદારખંડમાં પાંડવોને જોઇ ભગવાન શિવ ગુપ્તકાશીમાં જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ થોડે દૂર જઇને શિવજીએ એક બળદનું સ્વરૂપ ધારણ કર્યું. પાંડવોને જાણ થઇ કે આ બળદ સ્વરૂપમાં શિવજી જ છે. ભગવાન શિવે પાંડવોના મનની વાત જાણી લીધી. ત્યાર બાદ તેઓ ધરતીમાં ફસાવવા લાગ્યાં. ભીમે તેમને રોકવા માટે બળદ સ્વરૂપી શવજીની પૂંછડી પડી લીધી અને અન્ય પાંડવ પણ કરૂણા સાથે રડવા લાગ્યાં અને ભગવાન ભોળાનાથની સ્તૃતિ કરવા લાગ્યાં. જેથી ભગવાન પ્રસન્ન થઇને તેમની પ્રાર્થનાથી બળદની પીઠ ઉપર ત્યાં જ સ્થિત થઇ ગયાં. પાંડવોએ તેમની પૂજા કરીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી.

ઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. 6 મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે. મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશે.

અક્ષય તૃતીયા બાદ ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા શરૂ થઇ જાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામે પૂર્ણ થાય છે. મેનેજર રતૂડીએ જણાવ્યું કે, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાએ ખુલી ગયા છે. ત્યાર બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં. કોરોના મહામારીના કારણે આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ ખુલશે.

Continue Reading

ઈતિહાસના પાનામાં લટાર

ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કરવામાં આવ્યો છે ક્વોરન્ટીન શબ્દનો ઉલ્લેખ,જાણો શા માટે ગાંધીજીને 23 દિવસ માટે ક્વોરન્ટીન રહેવુ પડ્યુ હતું

Published

on

ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોના વાઇરસનો પગપેસારો થયા બાદ ‘ક્વોરન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીએ તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે.

1896માં ગાંધીજી પરિવાર સાથે મુંબઈથી જહાજમાં દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા ત્યારે મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેથી જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા કાંઠે પહોંચ્યા ત્યારે ગાંધીજી તથા જહાજમાં સવાર તમામ લોકોને ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી.

તે સમયમાં જાણો શા માટે ગાંધીજીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, તો વાત એમ છે કે આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘કુરલૅંડ’ નામના જહાજમાં તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા છે. 1996ની 18કે 19મી ડિસેમ્બરે જહાજ ડરબનના બારામાં પહોંચે છે.

ગાંધીજીએ લખ્યું છે કે, ‘જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે.’ તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા ત્યારે મુંબઈમાં મરકી (પ્લેગ)નો રોગચાળો હતો. તેથી ડરબન પહોંચેલા ગાંધીજીના જહાજને બંદરમાં જ અટકાવી દેવાયા હતા અને ગાંધીજી સહિત તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન કરાયા.

પ્લેગના રોગચાળામાં 23 દિવસ ક્વોરન્ટીન રહેવું પડે એવો નિયમ હોય છે. એટલે જહાજ મુંબઈથી ઉપડ્યું એ પછીના 23 દિવસ પૂરા થાય ત્યાં સુધી તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની ફરજ પાડવામાં આવે છે. જો કે ગાંધીજીએ નોંધ્યું છે કે માત્ર રોગચાળાને લીધે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં તેઓ રાજકીય રીતે સક્રિય થયા હોવાથી યેનકેન પ્રકારે તેમને ભારત પરત મોકલી દેવાનો દક્ષિણ આફ્રિકાની સરકારનો ઈરાદો હતો. આ ઈરાદા સામે ગાંધીજી તથા જહાજના પ્રવાસીઓએ મક્કમતા દાખવતા અંતે 1897ની 23મી જાન્યુઆરીએ ક્વોરન્ટીનનો અંત આવે છે અને પ્રવાસીઓને જહાજમાંથી ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે.


ગાંધીજીએ આત્મકથામાં ક્વોરન્ટીન માટે સૂતક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેમણે અંગ્રેજી શબ્દ ‘ક્વોરન્ટીન’નો ઉલ્લેખ પણ કર્યો છે. ગાંધીજીએ લખ્યું હતું કે, મુંબઈથી નીકળ્યા ત્યારે મરકીનો રોગચાળો હતો જ્યારે ગાંધીજીનું જહાજ ડરબન પહોંચે છે ત્યારે જહાજ પર પીળો વાવટો ફરકાવવામાં આવે છે. જે ક્વૉન્ટાઇન કરાયાનો સંકેત હતો.

Continue Reading
Advertisement
Advertisement

Trending