હેલ્થ
અવાજ નથી કરતા મલેરિયાનાં મચ્છર, બચવા માટે અપનાવો આ ટીપ્સ
Published
4 years agoon
By
Gujju Media
મલેરિયા થી મૃત્યુ પામનાર લોકોની યાદીમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને છે. મલેરિયાનાં સૌથી વધારે કેસ છતીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉડીશા વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ભારતે ૨૦૨૭ સુંધીમાં મલેરિયા મુક્ત થવાનું અને ૨૦૩૦સુંધીમાં આ બીમારીને નસ્ટ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મલેરિયાનાં કેસો શોધવા અને અને એક મોટુ જાગૃતતા અભિયાન ચાલવાની જરૂરત છે.
શું છે મલેરિયા?
હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (HCFI) નાં અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલે કહ્યું, “મલેરિયા પ્લાસ્મોડીયમ પરોપજીવીનાં કારણે થનાર એક જાનલેવા લોહીનો રોગ છે. આ એનોફીલીઝ મચ્છરનાં કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. જયારેઆ ચેપગ્રસ્તમચ્છર મનુષ્યને કરડે છે, તો પરોપજીવી લાલ રક્ત કોશિકાઓને સંક્રમિત અને નસ્ટ કરતા પહેંલા માણસનાં લીવરમાં મલ્ટિપ્લાય થઇ જાય છે.
તેનમે કહ્યું, ‘ ભારતમાં હજી પણ મલેરિયા મોનીટરીંગ સીસ્ટમ ખુબજ નબળી છે. વિભિન્નસ્તરો પર પ્રયત્નો છતા પણ આ બીમારી હજી પણ એક ગંભીર સાર્વજનિક સ્વાસ્થ્ય માટેપડકાર રૂપ છે.
મલેરિયાનાં લક્ષણ
ગંભીર મલેરિયાનાં લક્ષણોમાં તાવ અને ઠંડી લાગવી, બેભાન જેવી સ્થિતિ હોવી, ઊંડો શ્વાસ લેવામાં તફ્લીક થવી, અસામાન્ય લોહી વહેવું, એનીમિયાનાં લક્ષણ અને પીલિયાનો પણ સમાવેશ થાય છે.
હજી સુંધી મલેરિયા મુક્ત નથી થઇ શક્યું ભારત
ડો. અગ્રવાલે જણાવ્યું કે, ‘ ભારત પહેલેથીજ મલેરિયા સામેની લડાઈનું કેન્દ્ર રહેલું છે. મચ્છરો દ્વારા મલેરિયાનેનાબુદ કરવા વાળી સફળતાની ખોજ ૧૨૦ વર્ષ પહેલા ભારતના સિકંદરાબાદમાં થઇ હતી. ત્યાર થી દુનિયાનાં અડધા દેશોમાં મલેરિયા નાબુદ થઇ ચુક્યો છે. હવે સમય છે કે ભારત આવું કરવા માટેતરત જ કોઈ પગલા ઉપાડે.’
મલેરિયાનેબચવાનાઉપાય
મલેરિયાને રોકવા માટેનાં ઉપાયો માટે ડો. અગ્રવાલે જણાવ્યું કે, “મલેરિયા મચ્છર ઘરમાં જમા થયેલતાજા પાણીમાં વધે છે. એટલા માટે આ મહત્વનું છે કે તમાર ઘરમાં કે તેની આજુ-બાજુનાં વિસ્તારમાં પાણી જમા ના થાય. મચ્છર ચક્રને પૂરું થવામાં ૭-૧૨ દિવસ લાગે છે. એટલે જ, જો પાણીને સંગ્રહ કરવા વાળા કોઈ પણ વાસણ કે કેરબાનેજો દર અઠવાડિયે એક વાર સારી રીતે સાફ કરવામાં ના આવે તો તેમાં મચ્છર ઈંડા આપી શકે છે.”
તેમણે જણાવ્યું કે, “મચ્છર મની પ્લાન્ટનાકુંડામાં અથવાતો ધાબે પાણીની ટાંકીમાંઈંડા મૂકી શકે છે. જો તે યોગ્ય રીતે ઢાંકેલા નાં હોય તો ભયજનક છે. પક્ષીઓ માટેધાબા પર મુકેલ પાણીનાં વાસણો દર અઠવાડિયે સાફ ના કરીએ તો તેમાં મચ્છર ઈંડા મૂકી શકે છે. રાત્રે મચ્છરદાની કે મચ્છરભગાડવાની ક્રીમના ઉપયોગથી મલેરિયાને રોકી શકાતું નથી કારણ કે આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. મલેરિયાના મચ્છર અવાજ નથી કરતા. એટલા માટે, જે મચ્છર અવાજ નથી કરતા તે જ બીમારીનું કારણ બને છે.
You may like
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.

પિતાએ 2 વર્ષના બાળકને રમવા માટે મોબાઈલ આપ્યો, બાળકે 2 લાખનો ઓર્ડર આપ્યો, સામાન ઘરે પહોંચ્યો

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ