Onion Export
Onion Price in India: ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં, સરકારે છ દેશોમાં લગભગ 1 લાખ ટનનું કન્સાઇનમેન્ટ મોકલવાની મંજૂરી આપી છે…
કાંદાની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે ભારતે કેટલાક પડોશી દેશોને ડુંગળીના કન્સાઈનમેન્ટ મોકલવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આ વખતે લગભગ 1 લાખ ટન ડુંગળીના કન્સાઈનમેન્ટને છ દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.
આ 6 દેશોમાં નિકાસ કરવામાં આવશે
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર, સરકારે જે છ દેશોને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે તેમાં બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ તમામ 6 પાડોશી દેશોમાં મળીને 99 હજાર 150 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે.
સફેદ ડુંગળી માટે પણ મંજૂરી
આ સાથે કેન્દ્ર સરકારે 2 હજાર ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. આ સફેદ ડુંગળી ખાસ કરીને નિકાસ માટે ઉગાડવામાં આવે છે. આને પશ્ચિમ એશિયા અને યુરોપના બજારોમાં નિકાસ કરવામાં આવે છે.
આ સમાચાર ગયા મહિને આવ્યા હતા
અગાઉ માર્ચમાં સમાચાર આવ્યા હતા કે સરકારે બાંગ્લાદેશ, ભૂટાન, બહેરીન અને મોરેશિયસમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. તે સમયે સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂટાન, બહેરીન અને મોરેશિયસને મળીને 64 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બાંગ્લાદેશને સપ્લાય કરવા માટે વેપારીઓ પાસેથી 1,650 ટન ડુંગળી ખરીદવાની અપડેટ પણ હતી. બાદમાં તે જ મહિનામાં સરકારે ખાસ વિનંતી પર માલદીવમાં ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી હતી.
ગયા વર્ષે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
ગયા વર્ષે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો થયા બાદ કેન્દ્ર સરકારે નિકાસ પર નિયંત્રણો લાદ્યા હતા. શરૂઆતમાં નિકાસ પર ડ્યુટી વધારવા જેવા પગલાં લેવામાં આવ્યા હતા. બાદમાં ડિસેમ્બર 2023માં ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હજુ યથાવત છે. સરકારે કાંદાની નિકાસ માટે માત્ર અમુક ખાસ કિસ્સાઓમાં જ પરવાનગી આપી છે.