Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Nirjala Ekadashi 2024: જાણો ક્યારે ઉજવાશે નિર્જળા એકાદશી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Nirjala Ekadashi 2024: જાણો ક્યારે ઉજવાશે નિર્જળા એકાદશી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે
ધર્મદર્શન

Nirjala Ekadashi 2024: જાણો ક્યારે ઉજવાશે નિર્જળા એકાદશી ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે

Gujju Media
Last updated: June 7, 2024 7:02 pm
By Gujju Media 3 Min Read
Share
ekadshi
SHARE

Nirjala Ekadashi 2024: વર્ષ દરમિયાન 12 એકાદશી આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને વિશેષ ગણવામાં આવ્યું છે. દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. વર્ષ દરમિયાન જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. નિર્જળા એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી ગણાય છે. આ એકાદશી ને ભીમસેની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે. કોઈપણ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ જો કોઈ કારણોસર વર્ષ દરમિયાન એક પણ એકાદશી કરી ન શકાય તો નિર્જળા એકાદશીનું વ્રત કરી લેવાથી આખા વર્ષની અગિયારસ કરવાનું પુણ્ય મળે છે. તો ચાલો તમને જણાવીએ અતિ પુણ્યશાળી નિર્જળા એકાદશી આ વર્ષે કઈ તારીખે ઉજવાશે.

Contents
નિર્જળા એકાદશીનું મહત્વનિર્જળા એકાદશી 2024 નું શુભ મુહૂર્તનિર્જળા એકાદશીની પૂજા વિધિવિષ્ણુ મંત્ર

ekadashi 1

નિર્જળા એકાદશીનું મહત્વ

બધી જ એકાદશીમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે. નિર્જળા એકાદશીમાં નિર્જળ એટલે કે પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી. કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની કોઈપણ એકાદશી કરી ન શકે તેણે આ એક વ્રત કરી લેવું જોઈએ. આ એક એકાદશી કરી લેવાથી 12 એકાદશી કર્યાનો પુણ્ય મળે છે. જોકે નિર્જળા એકાદશીનું વ્રત કરવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ એકાદશીમાં અન્ન, ફળ કે જળ કંઈ પણ ગ્રહણ કરી શકાતું નથી. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આ કઠોળ વ્રત કરે છે તે બધા જ પાપથી મુક્ત થઈ જાય છે અને શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે.

- Advertisement -

નિર્જળા એકાદશી 2024 નું શુભ મુહૂર્ત

જેઠ મહિનાના શુક્લપક્ષની નિર્જળા એકાદશીનો પ્રારંભ 17 જુને સવારે 4 કલાક અને 43 મિનિટથી થશે. એકાદશી ની સમાપ્તિ 18 જૂને સવારે 7 કલાક અને 28 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર નિર્જળા એકાદશી 18 જુને ઉજવાશે. નિર્જળા એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે તેણે 19 જૂને સવારે 5 કલાક અને 24 મિનિટથી 7 કલાક અને 28 મિનિટ વચ્ચે પારણા કરવાના રહેશે.

mantra jaap

- Advertisement -

નિર્જળા એકાદશીની પૂજા વિધિ

નિર્જળા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનાદી કર્મ કરી ભગવાન વિષ્ણુને સ્મરણ કરી એકાદશી કરવાનો સંકલ્પ લેવો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવી. પૂજામાં ભગવાન વિષ્ણુને ફૂલ પીળું, ચંદન, ચોખા ચડાવી અને ભોગ ધરાવવો. ત્યાર પછી વિષ્ણુ મંત્રનો જાપ કરવો. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને એકાદશીની કથાનું વાંચન પણ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ અને મંત્ર જાપ કર્યા પછી ભગવાનની આરતી ઉતારો અને પ્રસાદ પરિવારમાં વહેંચીને પોતે ગ્રહણ કરો.

વિષ્ણુ મંત્ર

નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય એકાદશીના દિવસે ગરીબોને અને જરૂરીયાત મંદોને યથાશક્તિ કપડા, ભોજન વગેરેનું દાન કરવું.

- Advertisement -

 

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:Ekadashinirjala ekadashi
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

Big tension of crores of BSNL users is over company installed 84 thousand new 4G towers better connectivity will be available
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

નસો આપણા શરીરના બધા કોષો અને રક્તવાહિનીઓને જોડાયેલા રાખવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે,…

By Gujju Media
ટેકનોલોજી

256GB સ્ટોરેજવાળો Vivoનો લેટેસ્ટ ફોન થયો સસ્તો, Flipkartનો નવો સેલ તમને ખુશ કરશે

Vivo ના તાજેતરમાં લોન્ચ થયેલા લેટેસ્ટ 5G સ્માર્ટફોન T3 Ultra ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.…

By Gujju Media
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર યોજનાને કારણે, તમારા હાડકા અને સ્નાયુઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી…

By Gujju Media
ગુજરાત

બાળકો માટે ખરીદેલા આઈસ્ક્રીમ કોનમાં ગરોળીની પૂંછડી મળી, ગુજરાતમાં મહિલાની તબિયત લથડી, જાણો સમગ્ર ઘટના

થોડા સમય પહેલા મુંબઈમાં આઈસ્ક્રીમમાં કપાયેલી આંગળી મળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હવે ગુજરાતના અમદાવાદમાં એક…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

શું રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી તૂટી ગઈ છે? આ અભિનેતા ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો

'હેરા ફેરી' બોલિવૂડની સૌથી પ્રતિષ્ઠિત કોમેડી ફિલ્મોમાંની એક છે. અત્યાર સુધી ફિલ્મના 2 ભાગ રિલીઝ થઈ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?