Moscow Terror Attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું: અમે મોસ્કોમાં ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ… ભારત દુઃખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે. મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં એક કોન્સર્ટમાં પાંચ છૂપી બંદૂકધારીઓએ ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા છે અને 145થી વધુ ઘાયલ થયા છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકી હુમલા પાછળ ખતરનાક આતંકી સંગઠન ISISનો હાથ છે. આ હુમલાની જવાબદારી ખુદ ISISએ લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ISISની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ પર મોસ્કો આતંકી હુમલાથી સંબંધિત નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં તેણે ક્રોકસ સિટી હોલમાં થયેલા શૂટિંગની જવાબદારી લીધી છે. જોકે ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ તેણે તેનાથી સંબંધિત કોઈ પુરાવા જાહેર કર્યા નથી. ISISએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેણે મોસ્કોના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક મોટા કાર્યક્રમ પર હુમલો કર્યો છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં એક કોન્સર્ટ શરૂ થવા જઈ રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારબાદ કેટલાક સશસ્ત્ર લોકો ત્યાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો. ગ્રેનેડ હુમલાના કારણે ત્યાં આગ ફાટી નીકળી હતી.