Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી
ગુજરાતજાણવા જેવું

ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી

Palak Thakkar
Last updated: May 5, 2020 10:02 pm
By Palak Thakkar 4 Min Read
Share
BeFunky collage 53
SHARE

કોરોના સંકટમાં ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે કથળતી જોઈને ગુજરાત સરકાર ઍક્શન મોડમાં આવી છે અને ગાંધીનગર ખાતે અધિકારીઓની જવાબદારીમાં મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકાર સફાળી જાગીને હવે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિનું કદ વેતરી નાંખતા પંકજ કુમારને કોરોનાને લગતી હેલ્થ વિભાગની સમગ્ર કામગીરીની વધારાની જવાબદારી સોંપી છે. જ્યારે અમદાવાદની કૉવિડ-19ને લગતી તમામ કામગીરીના નિરીક્ષણની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે.

902167 coronavirus lockdown

ગુજરાતમાં કુલ 6254ના આંકડામાં આમ જોઈએ તો માત્ર અમદાવાદમાં જ 4425 એટલે કે 70 ટકા કેસ નોંધાયા છે. આવામાં રૂપાણી સરકાર હેલ્થ વિભાગ અને AMC પર ભડકી છે. પરિણામે આજે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં સ્થિતિને કાબૂમાં લેવા સિનિયર અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.

- Advertisement -

jpg 31

રાજ્યમાં કોરોનાના વધતાં જતા કેસથી રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. એક બાજુ પરપ્રાંતિયોનો વતન જવાનો મામલો તો બીજી બાજુ કોરોનાના કેસ કાબૂમાં નથી આવતા. આવામાં બંને બાજુ ગુજરાત રાજ્યમાં દિલ્હીમાં કેન્દ્રની નજરે ચઢી ગયું છે. જેના પગલે રૂપાણી સરકાર હવે ઍક્શનમાં આવી છે. આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા ત્રણ સિનિયર અધિકારીઓની વધારાની જવાબદારી આપી નિમણૂક કરી છે.

- Advertisement -

jpg 32

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા આરોગ્ય વિભાગથી રૂપાણી સરકારે નારાજ થઈ છે. જેથી આજે સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં છે તેમ કહી શકાય. પંકજ કુમાર જે હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય દિવસોથી ચર્ચા થઈ રહી હતી કે રાજ્ય સરકાર આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની કામગીરીથી નાખુશ હતાં.

- Advertisement -

guj 2

 

- Advertisement -
- Advertisement -

આ મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચુપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

maxresdefault 75

અમદાવાદ મનપા વિજય નેહરા આજે સેલ્ફ ક્વૉરન્ટાઈન થઈને 14 દિવસ રજા પર ઉતર્યા છે તેવું તેમણે ટ્વિટ કર્યુ હતું. જો કે અંદરના સૂત્રો અનુસાર AMC કમિશ્નરને કોરોનાની કામગીરીથી નાખુશ થઈને સરકારે હાલ પૂરતા હટાવી રજા પર ઉતારી દેવાયા છે. જો કે વિજય નેહરાએ આ બાબતે પોતે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે તેમ કહ્યું હતું.

- Advertisement -

jpg 31

પરંતુ સૂત્રો પ્રમાણે રૂપાણી સરકાર અમદાવાદના આંકડા જોઈને ભડકી છે અને અન્ય સીનિયર અધિકારીઓને સ્થિતિ કાબૂમાં લેવા મૂકાયા છે. મહત્વનું છે કે આ અગાઉ પણ વિજય નેહરાનું નિવેદન નેશનલ લેવલે ગાજ્યું હતું જેમાં તેમણે અમદાવાદમાં 15 મે સુધી 50000 કોરોનાના કેસ થવાની શક્યતા દર્શાવી હતી. કહેવાય છે કે આ નિવેદનથી અને તેમની કામગીરીમાં પણ કોઈ સુધારો ન દેખાતા રૂપાણી સરકાર નારાજ થઈ હતી.

74818807 1

 

AMC દ્વારા શહેરમાં કોરોનાના નિયંત્રણ માટે ટેસ્ટિંગ, ડીસઇન્ફેક્ટન્ટ છાંટવા, ક્વોરેનટાઈન જેવી અનેક પદ્ધતિઓ હાથ ધરાઈ છે. ચુસ્ત લોકડાઉનના સમય સુધી પોલીસે બળપ્રયોગ કરીને પણ લોકો ઘરે રહે તેવો આગ્રહ રાખ્યો. આમ છતાં તંત્રની ક્યાં ભૂલ થઇ રહી છે એ માટે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે. 3 દિવસમાં તંત્રની કામગિરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરાઈ છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકારના હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની કોરોનાની સ્થિતિનું અને બચાવ માટે લેવાતા પગલાનું નિરીક્ષણ કરશે અને અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને જાણ કરશે.

You Might Also Like

ટાયર પંચર કરવાવાળી સિંહણને ખરાબ આદત, ટાયર જોતાં જ વિચિત્ર કરે છે આ કામ, દાંતથી કાઢીને નાખે છે હવા

રામ કથાકાર મોરારી બાપુને ખૂબ દુઃખ, તેમના પત્ની નર્મદાબેનનું ગુજરાતના ભાવનગરમાં નિધન

બાળકો માટે ખરીદેલા આઈસ્ક્રીમ કોનમાં ગરોળીની પૂંછડી મળી, ગુજરાતમાં મહિલાની તબિયત લથડી, જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં ધરતી ધ્રૂજી, કચ્છમાં આવ્યો જોરદાર ભૂકંપ, કેટલી હતી તીવ્રતા? 2001 માં ભારે વિનાશ થયો હતો

ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે 1.60 કરોડની છેતરપિંડી કરી, હનીટ્રેપમાં બે આરોપીની ધરપકડ

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaviruscovid 19COVID19GUJARAThealthLOCKDOWN
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

Bulldozers razed to the Madrasa of a Maulana with Pakistani links in Gujarat
ગુજરાત

ગુજરાતમાં ‘પાકિસ્તાની લિંક્સ’ ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યા

By Gujju Media 1 Min Read
Vasna Barrage gates to be repaired Sabarmati River emptied for cleaning
ગુજરાત

વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરાશે, સાબરમતી નદી સફાઈ માટે ખાલી કરાઈ

By Gujju Media 2 Min Read
Now you will get guidance on reducing obesity at Ahmedabads Civil Hospital
ગુજરાત

હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટાપણું ઘટાડવા માટેનું માર્ગદર્શન મળશે

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?