આંતરરાષ્ટ્રીય
આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત
Published
3 years agoon

અત્યારે દેશ અને દુનિયા કોરોના નામની મહામારીનું શિકાર બન્યું છે. ચીન દ્રારા ફેલાયલો કોરોના વાયરસની અસર વિશ્ર્વભરમાં ફેલાઇ રહ્યો છે.પણ શું ચીનમાં આવી કોઇ ઘટના કે જેમાં કરોડો લોકોના મોત થયા હોય કેવી આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આપી ઘટનાઓ બની છે.
ઇતિહાસમાં ઘણી એવી ભયાનક અને ગંભીર ઘટનાઓ બની છે જે અંગે જાણીને રૂંવાડા ઉભા થઇ જાય છે. એક એવી જ ભયાનક ઘટના આજથી 62 વર્ષ પહેલા ચીનમાં બની હતી. જેમા કરોડો લોકો માર્યા ગયા હતા અને આ ભયાનક તબાહી પાછળ પોતાની ભૂલ હતી જેને બાદ સુધારલાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ખૂબ મોડું થઇ ગયું હતું. આ ઘટનાને ગ્રેટ ચાઇનિઝ ફેમિનેના નામથી ઓળખવામાં આવે છે. કદાચ જ કોઇ એવો ચીની નાગરિક હશે જે આ ઘટના અંગે ન જાણતું હોય.
1958 ની વાત છે. ત્યારે ચીનની સત્તા સંભાળી રહેલા હતા માઓ જેડોન્ગ, જેને માઓ સે-તુંગ પણ કહેવામાં આવે છે. તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું,. જેને ફોર પેસ્ટ કેમ્પેઇના નામથી ઓળખવામાં આવે છે આ અભિયાન હેઠળ તેમણે ચાર જીવ, મચ્છક, માખી, ઉંદર અને ચકલીને મારવાનો આદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું તે આ ચારેય જીવ ખેડૂતોની મહેનત બેકાર કરી દે છે. ખેતરમાં રહેલું અનાજ ખાય જાય છે.
પરંતુ હવે મચ્છર , માખી અને ઉંદરને મારવા થોડૂંક મુશ્કેલ કામ હતું, કારણકે તે સહેલાઇથી પોતાને છુપાવી લેતા હતા. પરંતુ ચકલીઓની આદત હોય કે તે હંમેશા માનવની વચ્ચે રહેલાનું પસંદ કરે છે. જોકે તે માઓ જેડોન્ગના આદેશનો શિકાર બની ગઇ અને આખા ચીનમાં તેણે શોધીને મારવામાં આવ્યા. એટલું જ નહીં તેમના માળાઓ(ઘર) પણ તોડી પાડવામાં આવ્યા. જેથી કોઇ જીવીત ન રહે.
લોકો વાસણ, ટિન કે ડ્રમ વગાડીને ગૌરૈયાને તેની જગ્યાલ પરથી ઉડાવતા અને તેને ત્યાં સુધી બેસવા ન દેતા જ્યાં સુધી તે ઉડતા-ઉડતા થાકી ન જાય અને આકાશમાંથી પડીને મરી ન જાય એટલું જ નહીં, જે વ્યક્તિની જેટલી સંખ્યા ચકલી (ગોરૈયા)ને મારતા હતો. તેને એટલું મોટું ઇનામ પણ મળતું હતું આ લાલચમાં ચીની લોકો કઇક એવું કરી બેઠા, જેની કદાચ આશા પણ ન હતી.
એક ઘટના છે, જ્યાં ચકલીનું એક ઝુંડ બીજિંગ સ્થિત પોલેન્ડના દુતાવાસમાં જઇને છુપાઇ ગયું, પરંતુ ચીની લોકો તેને મારવા ત્યાં સુધી પહોંચી પણ ગયા જોકે, દુતાવાસના અધિકારીઓએ તે લોકોને અંદર ન જવા દીધા. જેથી ચીની લોકોએ એક તરકીબ નીકાળી અને દુતાવાસને ચારેય તરફથી ઘેરી લીધો અને ડ્રમ વગાડવા લાગ્યા. આ સિલસિલો સતત બે દિવસ ચાલ્યો આખરે ચકલીઓનું ગ્રુપ વધારે અવાજના કારણે દુતાવાસની અંદર જ મરી ગયું. જે બાદ સફાઇ કર્મીઓએ તેને બહાર ફેંકી દીધા.
વર્ષ 1960માં માઓ જેડોન્ગે ગોરૈયાને મારવો તેનો ઇરાદો ત્યારે બદલી લીધો જ્યારે ચીનના એક પ્રખ્યાત પક્ષી વિજ્ઞાની શો-શિન ચેંગે તેમણે કહ્યું કે ગૌરૈયા મોટી સંખ્યામાં અનાજની સાથે સાથે તેને નુકસાન પહોંચાડનાર કીડા પણ ખાય જાય છે. આ વચ્ચે ચીનમાં ચોખા ઉત્પન્ન કરવાની જગ્યાએ તેની સંખ્યા ઘટતી જતી હતી. જે બાદ માઓએ આદેશ આપ્યો કે ગૌરૈયાઓને મારવામાં ન આવે પરંતુ તેની જગ્યાએ અનાજ ખાનારા કીડાઓને મારવામાં આવે.
પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું. ચકલીઓ ન હોવાના કારણે કીડાઓની સંખ્યામાં વધારો થયો હતો જેના કારણે પાક બરબાદ થઇ ગયો આ કારણે ચીનમાં એક ભાયનક અકાળ પડ્યો અને જેના કારણે કરોડો લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા ચીની સરકારના આંકડા મુજબ, આશરે 15 મિલિયન એટલે 1.50 કરોડો લોકોના મોત ભૂખમરાના કારણે થઇ હતી. જોકે, અન્ય કેટલાક રિપોર્ટ્સ મુજબ, 15-45 મિલિયન એટલે 1.50-4.50 કરોડ લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા હતા. આ ચાઇનાના ઇતિહાસનો સૌથી મોટો ત્રાસવાદી ભાગ છે.

You may like
-
આવું પણ બને! 33 વર્ષથી પુરુષ અજાણ હતો કે તે સ્ત્રી છે: જાણો સમગ્ર ઘટના
-
લે બોલો! આ દેશની કોર્ટમાં સબૂત તરીકે ઇમોજી પણ રહેશે માન્ય!
-
એક ડીલ આવી પણ! ઘઉ અને લસણના બદલમાં મેળવો ઘર: જાણો આ અજીબ ઓફર વિષે
-
આ છે દુનિયાનું સૌથી અમીર ગામ! દરેક વ્યક્તિ વર્ષના કમાય છે 80 લાખ રૂપિયા
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
-
પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ
આંતરરાષ્ટ્રીય
ઈન્ટરનેટ સ્લો ડાઉનના કારણે દુનિયાભરની અનેક વેબસાઈટો પડી ધીમી
Published
4 months agoon
June 21, 2022
સમગ્ર દુનિયામા ઈન્ટરનેટની સમસ્યાને કારણે કેટલીય વેબસાઈટો યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આજે સવારથી શરૂઆતમાં કેટલીય વેબસાઈટો ડાઉન રહી હતી. આ સમસ્યા સીડીએન પ્લેટફોર્મ પર ચાલવાથી વેબસાઈટો પર પડી છે. કેટલીય વેબસાઈટ એક્સેસ થઈ શકતી નથી. તેમાં કેટલીય દિગ્ગજ સાઈટોના નામ પણ સામેલ છે. તેમાં વનપ્લસના સંસ્થાપક રહી ચુકેલા કાર્લ પેઈ દ્વારા ગત વર્ષે લંડન બેસ્ડ કંપની નથિંગની વેબસાઈટનો પણ સમાવેશ થાય છે.
આઉટરેજની જાણકારી આપનારી વેબસાઈટ ડાઉન ડિરેક્ટરે જણાવ્યું છે કે, દુનિયાભરની કેટલીય વેબસાઈટ ડાઉન થવાના સમાચાર મળ્યા છે. તેમાં Discord, zerodha, shopify, amazon web services twitter અને canva જેવી મોટી વેબસાઈટો સામેલ છે. તેમાંથી અમુક ગેમિંગ પ્લેટફોર્મ પણ છે. આ ઉપરાંત udemy, splunk, quora, crunchyroll જેવી વેબસાઈટો પણ પ્રભાવિત થઈ છે.
કેલિફોર્નિયા સ્થિત કંપની ક્લાડફ્લેયે તાત્કાલિક આ સમસ્યાને ધ્યાને લઈને પોતાના યુઝર્સને ટ્વીટ કરીને તેના વિશે જાણકારી આપી હતી. ટ્વીટમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ આ સમસ્યાને ફિક્સ કરી રહ્યા છે. સાથે જ કંપની ટૂંક સમયમાં તેનું ફોલોઅપ જાહેર કરશે. જો કે, થોડા આઉટેજ બાદ આ સમસ્યા ઠીક કરી દેવામાં આવી છે અને હવે નથિંગ જેવી વેબસાઈટને સરળતાથી એક્સેસ કરી શકાય છે.
આંતરરાષ્ટ્રીય
ભારતનું દેશી UPI અને RuPay કાર્ડ ફ્રાન્સમાં પણ ચાલશે! ન્ને દેશો વચ્ચે પેમેન્ટના MOU સાઈન થયા
Published
4 months agoon
June 17, 2022
ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.ત્યારે હવે કોઈ પણ ભારતીય ફ્રાંન્સ જઈને પણ પોતાના RuPay કાર્ડ અથવા UPI મારફત હવેથી પેમેન્ટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને RuPay કાર્ડ સ્વીકારવામાં આવશે.
ફ્રાંન્સના ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી છે,અને જણાવ્યું છે કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને RuPay કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે. આ મામલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ટરનેશનલ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ, ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે જેથી ટૂંક સમયમાં ફ્રાંસમાં ભારતીયોને આ સુવિધા મળશે.
આ બન્ને દેશો વચ્ચે થયેલા પેમેન્ટના MOU પ્રમાણે લાયરા નેટવર્ક ભારતીયોને તેમના મશીનો પર UPI અને RuPay કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની મંજૂરી આપશે, ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ચૂકવણી કરવાનું સરળ બનશે. આ પહેલા કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ફ્રાન્સમાં યુપીઆઈ અને RuPay કાર્ડ સ્વીકૃતિ’ માટે NPCI ઇન્ટરનેશનલ અને ફ્રાન્સના Lyra નેટવર્ક વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે જ કહ્યું કે ભારત એક મહિનામાં 5.5 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે. ફ્રાન્સ સાથેના MOU એક મોટી ઉપલબ્ધિ છે.
આંતરરાષ્ટ્રીય
બદમાશોએ ફાયરિંગ કર્યું, ઢાલ બનીને બચવ્યો એક વ્યક્તિને જુઓ રહસ્યમય ઘટના
Published
12 months agoon
October 20, 2021By
Gujju Media
જાકો રખે સૈયન માર ખાતર ના કોયે. તમે આ કહેવત લોકો ઘણી વાર બોલતા જ હોય છે અને તમે ઘણી વખત સાંભળી પણ હશે. આ કહેવતનો અર્થ એ છે કે, તેના પર ભગવાનનો હાથ છે, તેને કશું બગાડી શકતું નથી. એવું કહેવાય છે કે, જીવન અને મૃત્યુ બંને ભગવાનની ઇચ્છાથી થાય છે. જ્યારે સમય તમારા માટે યોગ્ય હોય છે, ત્યારે તે તમને તેની પાસે બોલાવે છે. આ જ કારણ છે કે, ઘણી વખત આવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે, જ્યાં લોકો મોતના મુખમાંથી બહાર આવે છે.
હવે બ્રાઝિલના પેટ્રોલિના શહેરની આ ઘટના લો. અહીં એક માણસને બંદૂકમાંથી ગોળી વાગી હતી, પરંતુ મોબાઇલે કર્યો તેનો જીવ બચાવ.
વાસ્તવમાં, પેટ્રોલિનામાં રહેતી આ વ્યક્તિ લૂંટારાઓની ગોળીનો શિકાર બની હતી. લૂંટારુઓએ તે વ્યક્તિને ગોળી મારીને ભાગી ગયા હતા. આવી સ્થિતિમાં, વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડૉક્ટરો દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોળીને કારણે પીડિતાના હિપને સહેજ ખંજવાળ આવી છે, બાકીનું સંપૂર્ણપણે ઠીક છે. આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું. કોઈ માનતું ન હતું કે, માણસને ગોળી વાગી નથી.
એવું બન્યું કે વ્યક્તિનો મોબાઇલએ તેની ઠાલ બનીને તેનો બચાવ કર્યો. બંદૂક માંથી નીકળેલી ગોળી મોબાઈલ પર આવી ગઈ હતી. જ્યારે ગોળી ચલાવવામાં આવી હતી, ત્યારે તે સીધો ગયો અને તે વ્યક્તિના મોબાઈલ સાથે અથડાયો. અહીંથી ગોળી ત્રાંસી રીતે વેરવિખેર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં વ્યક્તિની લાશ આ ગોળીથી બચી ગઈ હતી.
જે હોસ્પિટલમાં પીડિતાને લઈ જવામાં આવી હતી તે હોસ્પિટલના ડોક્ટરએ પણ સોશિયલ મીડિયા પર બુલેટ બંધ કરનારા મોબાઈલનો ફોટો શેર કર્યો છે. તેમણે ફોટોગ્રાફ્સ સાથે આ બાબતની માહિતી પણ આપી હતી. તેમણે લખ્યું છે કે, ગોળી વાગ્યા પછી તે માણસને દાખલ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે ગોળી તેના શરીરને વાગ્યા વગર ફોનમાં ફસાઈ ગઈ હતી. પછી તેને નાની ઉઝરડા સાથે દુખાવો થયો હતો. હાલમાં, તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
હવે વ્યક્તિની આ વાર્તા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેને પણ આ સમાચાર મળ્યા તે વ્યક્તિના ભાગ્યના વખાણ કરવા લાગ્યા છે. સાથે જ કેટલાક લોકોએ મોબાઈલ બનાવનાર કંપનીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, જો કંપનીએ આ મોબાઈલને એટલો મજબૂત ન બનાવ્યો હોત તો કદાચ વ્યક્તિના શરીરમાંથી ગોળી ફાડી નાખી હોત. તે જ સમયે, ઘણા લોકોએ આ ઘટનાને સંપૂર્ણપણે ફિલ્મી ગણાવી છે. તેમના મતે આવા ચમત્કારો માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે. મળતી માહિતી મુજબ, લૂંટ દરમિયાન બદમાશોએ વ્યક્તિને ગોળી મારી દીધી હતી.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન