Daniel Balaji Passes Away: સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. અભિનેતાનું 29 એપ્રિલ, શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. 48 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શુક્રવારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધનના સમાચારથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ડેનિયલ બાલાજીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પુરસાઈવલકમ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, તેમના અંતિમ સંસ્કાર આજે, શનિવારે, 30 માર્ચે કરવામાં આવશે. 48 વર્ષીય અભિનેતાનું નિધન તેના ચાહકો અને તમિલ સિનેમાના લોકો માટે એક મોટો આઘાત સમાન છે. આજે ઉદ્યોગ જગતના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચી શકે છે.