દેશ અને વિશ્વમાં કોરોના પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે ત્યારે ભારતમાં બોલીવુડ જગત ઘરે રહીને કોરોના વિશે શક્ય તેટલી માહિતી શૅર કરી રહ્યું છે પોતાના વીડિયો શૅર કરી રહ્યા છે ત્યારે ગુજરાતી અભિનેતાઓ પણ પોતાનાથી શક્ય તેવા પ્રયત્નો કરી દેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.
એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા જનતા કર્ફ્યૂના આહ્વાનને સપોર્ટ કરે છે તથા કરવાને સમર્થન આપતા વીડિયો શૅર કર્યા છે. તેમાં મલ્હાર ઠાકર, કિંજલ દવે, આરોહી પટેલ, ભૂમિ ત્રિવેદી, ગીતાબેન રબારી, મયૂર ચૌહાણ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કોરોના વાઇરસનાં 13 કેસિઝ પૉઝિટવ આવ્યા છે અને રાજ્ય વધુ સાબદું થયું છે. 22મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર દેશમાં જનતા કર્ફ્યુ પળાવાનો છે. કોરોનાનો કહેર આપણને ચિંતા ન કરાવે તે માટે ગુજરાતી સેલિબ્રિટીઝે પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી વિશેષ સંદેશો આપતા મેસિજિઝ અને પોસ્ટ્સ શેર કર્યા હતા.
https://www.instagram.com/tv/B99s4nFFrbt/?utm_source=ig_web_copy_link
મલ્હાર ઠાકર કહે છે કે તમારે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, તેણે હાથ ધોવાથી લઈને અન્ય વાતો કરી સાથે તેણે જનતા કર્ફ્યૂ વિશે કહ્યું કે આ અનિવાર્ય છે પોતાની માટે અને દેશ માટે. માહિતી મેળવીને જ સ્પર્શ કરવું અને જાત સાથે સમય કાઢો. સેફ રહો સતર્ક રહો..
આરોહી પટેલ
https://www.instagram.com/p/B98uJWvHsKz/?utm_source=ig_web_copy_link
ગીતા રબારી
https://www.instagram.com/tv/B98zjvHny8Q/?utm_source=ig_web_copy_link
ભૂૂમિત્રિવેદી
https://www.instagram.com/p/B99daGwHejf/?utm_source=ig_web_copy_link
કિંજલ દવે
https://www.instagram.com/tv/B99DgYMgb1B/?utm_source=ig_web_copy_link
આ વીડિયો શૅર કરતાં કહે છે કે, ‘ગંભીર બીમારીથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.’ આની સાથે તેણે કેટલાક સાવચેતીના પગલાં લેવાનું પણ સૂચવ્યું છે.