Connect with us

ગુજરાત

અમદાવાદનાં ખાવાપીવાના શોખીનો માટે ખુશીના સમાચાર, અમદાવાદના લો-ગાર્ડન પાસે તૈયાર છે હેપ્પી સ્ટ્રીટ

Published

on

ગુજરાતીને ખાવાપીવાના શોખીન માનવામાં આવે છે.ગુજરાતીઓને અલગ-અલગ પ્રકારના ફુડ ખાવા અને ખવડાવાનો અનેરો શોખ હોય છે, એમાંય અમદાવદનું તો શું કહેવું.અમદાવાદ એક એવું શહેર છે,જ્યાં ગુજરાતના અલગ-અલગ જગ્યાંએથી લોકો આવીને રહે છે, હવે અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર થઈ ગઈ છે.

જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય તેવો અહેસાસ થશે. આ સ્ટ્રીટમાં ડસ્ટબીન અને અલગ ડ્રેનેજ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેથી સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહે.

અમદાવાદમાં ખાવાના શોખીનો માટે લો-ગાર્ડન પાસે ખાણીપીણીની માર્કેટનો પહેલાંથી જ ખૂબ ક્રેજ રહ્યો છે. જોકે અહીં ગમે તેમ લારીઓ પાર્ક થતી હોવાથી ટ્રાફિક અને ગંદકીની સમસ્યા બહુ જોવા મળતી હતી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ દૂર કરી તેને નવેસરથી ‘હેપ્પી સ્ટ્રીટ’ તરીકે ડેવલપ કરી છે.

આ ‘હેપ્પી સ્ટ્રીટ’ની એક સાઈડ 31 મોટી અને 111 નાની મળી કુલ 42 ફુડ વાન ઉભી રહેશે. મોટી ફૂડ વાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે.આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. તેમજ અનેક ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે મહત્વની વાત છે કે, દિવસ દરમિયાન આ જગ્યાને પાર્કિગ તરીકે ઉપયોગ કરવામાં આવશે કેવું જાણવા મળ્યું છે.

સાંજે 6 વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે. ફુડવાન ધારકોએ ફૂડકોર્ટના સ્થળે સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવા વોશબેસીન સહિતની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.તેની સાથે જ પાર્કિંગની બાજુમાં સાઈકલ રાઈડિંગ માટે અલગ પાથ બનાવવામાં આવ્યો છે. તેમજ તેની બાજુમાં ફુટપાથ પણ બનાવવામાં આવ્યો છે.

મોર્નિંગ વોક માટે નીકળતાં લોકો તેનો લાભ લઈ શકશે. દરેક વાનની બાજુમાં ડ્રેનેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલે પાણી અને કચરાનો તાત્કાલિક નિકાલ થઈ જશે અને સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહેશે.વાત કરીએ તો નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.

કોર્પોરેશન ફુડ વાન માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં સૌથી મોટી જગ્યા માટે રૂપિયા 1.67 લાખ અને નાની જગ્યા માટે રૂપિયા 90 હજાર સુધીના ભાવ મળ્યા હતા. કોર્પોરેશનને વર્ષે અંદાજે 4 કરોડની આવક થશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગુજરાત

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’

Published

on

ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending