Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
જાણવા જેવુંધર્મદર્શન

જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા

Gujju Media
Last updated: July 3, 2019 1:44 pm
By Gujju Media
6 Min Read
Share
jagagnath 1
SHARE

અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

Contents
  • ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા
  • કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી
  • 26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે
  • આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ
  • રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ

3 1

રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

- Advertisement -

ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા

guj rath yatra 1 1531152638
આજથી ૧૪૨ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પહેલી વખત ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ કરી હતી. જો કે ત્યારે રથયાત્રા એટલી મોટી ન હતી પણ ધીમે ધીમે તેનો વ્યાપ વધવા લાગ્યો અને આજે બીજા નંબરે અમદાવાદની રથયાત્રા બની ગઈ છે.

કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી

DDGcw1zUIAAAmR0
જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. જો ઈતિહાસની વાત કરીએ તો સારંગજીદાસે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમજ જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. જો કે આ મંદિરની સ્થાપના પાછળ એક આદેશ કાણભૂત છે. એક દિવસ સારંગજીદાસને સપનામાં જગન્નાથજીની મૂર્તિની સ્થાપના કરવાનો આદેશ મળ્યો હતો. જેના પગલે તેઓ પુરીથી ભગવાનની મૂર્તિ લાવ્યા અને તેની સ્થાપના કરી. તેમજ સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 1 જૂલાઈ 1978માં અષાઢી બીજના દિવસે પહેલી રથયાત્રા નીકાળવવામાં આવી હતી.

- Advertisement -

26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે

3 1
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે. તેમજ સવારે મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામં આવે છે. તેના પછી સવારે રાજ્યાના મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. તેના પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ


આજથી ૧૪૨ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે વખતે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. અને બસ ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના લોકો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. તેમજ ભગવાનનું મામેરું કરવામાં આવે છે.

- Advertisement -

રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ

2.4
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી પોતાના મોસાળમાં રોકાય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમજ દરરોજ અલગ અલગ અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેના કારણે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. તેના પછી મંગળા આરતી કરવામાં આવશે. મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. તેમજ લાખોની સંખ્યામાં ભક્તો આ ભંડારાનો લાભ લેશે.

તે સિવાય અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે. જો કે આ વખતે અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગમી 4 જુલાઈના રોજ અમદાવાદમાં 142મી રથયાત્રા નીકળશે.
zgreuo2au5jzf6jxz8mo
ઉલ્લેખનીય છે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. તે સિવાય કોઈ અણબનાવ ન બને તે માટે SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. તે સિવાય ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરશે.
704034 rathyatra 071318
જગન્નાથજી રથયાત્રામાં આ વખતની વિશિષ્ટતા ૧૬ શણગારેલા ગજરાજો, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, ૧૮ ભજન મંડળીઓ ૩ બેન્ડવાજા, ૨૦૦૦ સાધુ-સંતો હશે. તેમજ રથયાત્રામાં આ વખતે મંદિર ટ્રસ્ટના એકપણ હાથી નહી હોય.

- Advertisement -
- Advertisement -

dc Cover 56pdksd152f6jdlt4dabghm024 20160706111343.Medi

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે બેંકમાં કામકાજના સમયમાં થઈ શકે છે મોટો ફેરફાર
સુખી જીવન માટે મહિલાઓએ આ 5 આદતોનો આજે જ કરવો પડશે ત્યાગ!
જાણવા જેવુ! જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાતા ત્રણેય રથ અને તેમના નામ પાછળ છે કઈક આવું મહત્વ
શું તમારા આગળના દાંત વચ્ચે પણ ગેપ છે? જાણી લો કેટલા નસીબદાર છો તમે!
વેલેન્ટાઈન ડે ના દિવસે છુપાયેલી છે અસંખ્ય શહાદતની કથાઓ …૧૪ ફેબ્રુઆરી કેમ બન્યો અંધકારભર્યો દિવસ ……..
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1775542850 Copy of Satya web temp 18.jpg.webp
ધર્મદર્શન

હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મુંડન કેમ કરાવવામાં આવે છે? જાણો તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્યો

By Gujju Media
5 Min Read
maxresdefault 2020 07 01T161917.538
ધર્મદર્શનલાઈફ સ્ટાઈલ

કોરોના વાયરસ વચ્ચે મોટા સમાચાર,આ વખતે નહિ થાય લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન

By Palak Thakkar
1 Min Read
1776581917 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

શું પરિવારમાં વારંવાર ઝઘડા થાય છે? વાસ્તુ મુજબ આ છોડ લગાવવાથી સંબંધોમાં ઓગળશે મધ જેવી મીઠાશ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?