Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
જાણવા જેવુંધર્મદર્શન

જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા

Gujju Media
Last updated: July 3, 2019 1:44 pm
By Gujju Media
6 Min Read
Share
jagagnath 1
SHARE

અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

Contents
  • ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા
  • કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી
  • 26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે
  • આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ
  • રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ

3 1

રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

- Advertisement -

ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા

guj rath yatra 1 1531152638
આજથી ૧૪૨ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પહેલી વખત ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ કરી હતી. જો કે ત્યારે રથયાત્રા એટલી મોટી ન હતી પણ ધીમે ધીમે તેનો વ્યાપ વધવા લાગ્યો અને આજે બીજા નંબરે અમદાવાદની રથયાત્રા બની ગઈ છે.

કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી

DDGcw1zUIAAAmR0
જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. જો ઈતિહાસની વાત કરીએ તો સારંગજીદાસે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમજ જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. જો કે આ મંદિરની સ્થાપના પાછળ એક આદેશ કાણભૂત છે. એક દિવસ સારંગજીદાસને સપનામાં જગન્નાથજીની મૂર્તિની સ્થાપના કરવાનો આદેશ મળ્યો હતો. જેના પગલે તેઓ પુરીથી ભગવાનની મૂર્તિ લાવ્યા અને તેની સ્થાપના કરી. તેમજ સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 1 જૂલાઈ 1978માં અષાઢી બીજના દિવસે પહેલી રથયાત્રા નીકાળવવામાં આવી હતી.

- Advertisement -

26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે

3 1
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે. તેમજ સવારે મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામં આવે છે. તેના પછી સવારે રાજ્યાના મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. તેના પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ


આજથી ૧૪૨ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે વખતે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. અને બસ ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના લોકો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. તેમજ ભગવાનનું મામેરું કરવામાં આવે છે.

- Advertisement -

રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ

2.4
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી પોતાના મોસાળમાં રોકાય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમજ દરરોજ અલગ અલગ અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેના કારણે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. તેના પછી મંગળા આરતી કરવામાં આવશે. મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. તેમજ લાખોની સંખ્યામાં ભક્તો આ ભંડારાનો લાભ લેશે.

તે સિવાય અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે. જો કે આ વખતે અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગમી 4 જુલાઈના રોજ અમદાવાદમાં 142મી રથયાત્રા નીકળશે.
zgreuo2au5jzf6jxz8mo
ઉલ્લેખનીય છે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. તે સિવાય કોઈ અણબનાવ ન બને તે માટે SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. તે સિવાય ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરશે.
704034 rathyatra 071318
જગન્નાથજી રથયાત્રામાં આ વખતની વિશિષ્ટતા ૧૬ શણગારેલા ગજરાજો, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, ૧૮ ભજન મંડળીઓ ૩ બેન્ડવાજા, ૨૦૦૦ સાધુ-સંતો હશે. તેમજ રથયાત્રામાં આ વખતે મંદિર ટ્રસ્ટના એકપણ હાથી નહી હોય.

- Advertisement -
- Advertisement -

dc Cover 56pdksd152f6jdlt4dabghm024 20160706111343.Medi

દેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન
અમદાવાદ અને સુરત બાદ ગુજરાતમાં આ શહેર બન્યું કોરોનાનું હોસપોર્ટ
માસિક શિવરાત્રીની પૂજા માટે માત્ર 48 મિનિટનો શ્રેષ્ઠ સમય, ચુકી ન જતા ‘નિશિતા કાળ’
સેનિટાઈઝરથી ફોન સાફ કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન, થઇ શકે છે આ નુકસાન
ટિકટોક બંધ થતાં આ ભારતીય એપને એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ,TikTokને આપી રહી છે ટક્કર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784462758 Copy of Satya web temp 7.jpg.webp
 આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

goat
જાણવા જેવું

Turkish Football Club Sells 18 Players to Buy Goats

By Gujju Media
2 Min Read
Copy of Satya web temp 2025 12 11T141427.081.jpg.webp
ધર્મદર્શન

શું સ્નાન કર્યા વિના મંત્ર જાપ કે પૂજા કરવી ધાર્મિક રીતે યોગ્ય છે? જાણો ભક્તિના સાચા નિયમો

By Gujju Media
5 Min Read
depression-in-a-relationship-so-try-this-technique-will-definitely-have-benefits
જાણવા જેવું

રિલેશનશીપમાં આવી રહ્યું છે ડિપ્રેશન? તો અજમાવો આ તરકીબ ચોક્કસ થશે ફાયદઓ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?