Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા
જાણવા જેવુંધર્મદર્શન

જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા

Gujju Media
Last updated: July 3, 2019 1:44 pm
By Gujju Media 6 Min Read
Share
jagagnath 1
SHARE

અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

Contents
ક્યારે શરૂ થઈ હતી રથયાત્રાકોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છેઆ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળરથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ

3 1

રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

- Advertisement -

ક્યારે શરૂ થઈ હતી રથયાત્રા

guj rath yatra 1 1531152638
આજથી ૧૪૨ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પહેલી વખત ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ કરી હતી. જો કે ત્યારે રથયાત્રા એટલી મોટી ન હતી પણ ધીમે ધીમે તેનો વ્યાપ વધવા લાગ્યો અને આજે બીજા નંબરે અમદાવાદની રથયાત્રા બની ગઈ છે.

કોણે કરી જગન્નાથ મંદિરની સ્થાપના અને કેવી રીતે કરી

DDGcw1zUIAAAmR0
જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. જો ઈતિહાસની વાત કરીએ તો સારંગજીદાસે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમજ જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. જો કે આ મંદિરની સ્થાપના પાછળ એક આદેશ કાણભૂત છે. એક દિવસ સારંગજીદાસને સપનામાં જગન્નાથજીની મૂર્તિની સ્થાપના કરવાનો આદેશ મળ્યો હતો. જેના પગલે તેઓ પુરીથી ભગવાનની મૂર્તિ લાવ્યા અને તેની સ્થાપના કરી. તેમજ સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 1 જૂલાઈ 1978માં અષાઢી બીજના દિવસે પહેલી રથયાત્રા નીકાળવવામાં આવી હતી.

- Advertisement -

26 વર્ષથી પહિંદ વીધી કરવામાં આવે છે

3 1
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે. તેમજ સવારે મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામં આવે છે. તેના પછી સવારે રાજ્યાના મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. તેના પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

આ રીતે સરસપુર બન્યું ભગવાનનું મોસાળ


આજથી ૧૪૨ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે વખતે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. અને બસ ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના લોકો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. તેમજ ભગવાનનું મામેરું કરવામાં આવે છે.

- Advertisement -

રથયાત્રા પહેલા થાય છે નેત્રોત્સવ વિધિ

2.4
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી પોતાના મોસાળમાં રોકાય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમજ દરરોજ અલગ અલગ અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેના કારણે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે. તેના પછી મંગળા આરતી કરવામાં આવશે. મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. તેમજ લાખોની સંખ્યામાં ભક્તો આ ભંડારાનો લાભ લેશે.

તે સિવાય અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે. જો કે આ વખતે અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગમી 4 જુલાઈના રોજ અમદાવાદમાં 142મી રથયાત્રા નીકળશે.
zgreuo2au5jzf6jxz8mo
ઉલ્લેખનીય છે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. તે સિવાય કોઈ અણબનાવ ન બને તે માટે SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. તે સિવાય ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરશે.
704034 rathyatra 071318
જગન્નાથજી રથયાત્રામાં આ વખતની વિશિષ્ટતા ૧૬ શણગારેલા ગજરાજો, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, ૧૮ ભજન મંડળીઓ ૩ બેન્ડવાજા, ૨૦૦૦ સાધુ-સંતો હશે. તેમજ રથયાત્રામાં આ વખતે મંદિર ટ્રસ્ટના એકપણ હાથી નહી હોય.

- Advertisement -
- Advertisement -

dc Cover 56pdksd152f6jdlt4dabghm024 20160706111343.Medi

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
wake up in the morning and walk for just 15 minutes the body will get these health benefits

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
ટેકનોલોજી

OnePlus લાવ્યું 12140mAh બેટરી સાથેનું શક્તિશાળી ટેબલેટ, તમને મળશે 16GB RAM અને અદ્ભુત AI સુવિધાઓ

OnePlus 13s ની સાથે, કંપનીએ તેનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટેબલેટ Pad 3 પણ રજૂ કર્યું…

By Gujju Media
ટેકનોલોજી

એરટેલના નવા 84-દિવસના પ્લાને તબાહી મચાવી, તમને Netflix, JioHotstar, Zee5 જેવી OTT સેવાઓ મફતમાં મળશે

એરટેલે તાજેતરમાં ત્રણ નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં યુઝર્સને નેટફ્લિક્સ, ઝી5, જિયોહોટસ્ટાર જેવી ઓટીટી…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?