Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
ગુજરાતજાણવા જેવુંધર્મદર્શન

world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

Chintan Mistry
Last updated: February 4, 2020 3:21 pm
By Chintan Mistry 4 Min Read
Share
WhatsApp Image 2020 02 04 at 12.16.00 2
SHARE

એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ….બીડી છે મોતની સીડી….જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે…..પણ તેમ છતાં વિશ્વમાં હજારો લોકો આજે પણ વ્યસનના કારણે કેન્સરથી પીડાઈને મોતને ભેટતા હોય છે…આજે વર્લ્ડ કેન્સર ડે છે ત્યારે આપણે એક એવી વ્યક્તિ વિષે જાણીશું જેમણે માત્ર વ્યસન છોડી તો દીધું પણ આજે લોકોને વ્યસન છોડાવી રહ્યા છે.. તેમણે માત્ર સંતોનું જીવન જોઈ પોતાના જીવનમાંથી હંમેશ માટે વ્યસન દૂર કરી દીધું….

gopalbhaisuthar2

જીહાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ડાહ્યાભાઈ સુથાર કે જેઓ પહેલા વ્યસનના ચંગુલમાં ફસાયેલા હતા. ૫૫ વર્ષીય ગોપાલભાઈએ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ (૯ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧) સુધીમાં એક લાખ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે અત્યાર સુધીમાં ૭00થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા છે. રસપ્રદ બાબત એ છે કે દરરોજ ૧૫ મસાલા અને રોજની ૧૦ સિગરેટ પીનારા ગોપાલભાઈને જ્યારે સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે તેમના ખુદના જીવનમાં પરિવર્તન આવ્યું…તેમણે પોતે તો વ્યસન છોડી દીધું પરંતુ આજે તેઓ અન્યોને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી રહ્યા છે…આ કાર્ય માટે તેઓ 24 કલાકમાંથી 3થી 4 કલાક ફાળવે છે….તેમનું કહેવું છે કે,  વ્યસન એ આજના યુગનું સૌથી મોટું દુષણ  છે. એક વખત માણસ વ્યસનના રવાડે ચડી જાય પછી તે બહાર નીકળી શકતો નથી. વ્યસનને કારણે આર્થિક અને શારીરીક નુકસાન થાય છે.

- Advertisement -

IMG 20200204 WA0056

(બોલીવુડ કલાકાર અનુપમ શ્યામ)

- Advertisement -

તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ એ પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કલાકાર કે અધિકારી તમામને વ્યસન અંગે વાત કરી તેમને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે.  ગોપાલભાઈના જણાવ્યા મુજબ તેઓ ૧૭ વર્ષના હતા ત્યારે ખરાબ સંગતે ચડી ગયા અને તમાકુયુક્ત મસાલા અને ધૂમ્રપાન કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, એક તબક્કે તો મારા પિતા ડાહ્યાભાઈ કહેતા કે ‘આ ગોપાલ કદી વ્યસનમુક્ત નહીં બને…’ જોકે, વર્ષ-૨૦૦૭માં ૪૨મા વર્ષે હું સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શન કરવા ગયો હતો અને અચાનક આ મંદિરની પાછળ આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-સારંગપુર તીર્થ ખાતે ગયો. ત્યાં ઉચ્ચ અભ્યાસથી યુક્ત સંતોને સેવા કરતાં જોયા ત્યારે મને તેઓને મળવાનું મન થયું. તેઓને મળ્યા બાદ હું જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો ત્યારે તેમના એક ધબ્બાથી જાણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મેં એ જ ક્ષણે પાન-મસાલા ખાવાનું અને ધૂમ્રપાન કરવાનું છોડીને એક વ્યસનમુક્ત વ્યક્તિ બની ગયો. એટલું જ નહીં, મને બીજાઓને પણ વ્યસનમુક્ત બનાવવાની પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે, તેમાંનો એક હું પણ છું. હું આ વ્યસનમુક્તિના અભિયાનમાં આજીવન જોડાઈ ગયો છું. હું મારી સાથે બે પુસ્તકો પણ રાખું છું અને તેના દ્વારા હું તેમને સાચું માર્ગદર્શન આપું છું. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ચાંગોદરમાં એક ફેક્ટરીમાં ગયો હતો ત્યાં પણ એક સાથે ૩૧ કારીગરોને વ્યસનમુક્ત કર્યા છે. ખાસ કરીને આગામી વર્ષે એટલે કે તા.૯ નવેમ્બરથી તા.૧૧મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ’ની ૩૩ દિવસની ઉજવણી થવાની છે તે સમયગાળા સુધીમાં એક લાખ લોકોને વ્યસનમુક્ત કરવાના સંકલ્પ લેવડાવવા છે. આ માટે દરરોજ હું ચાર-પાંચ કલાક ફાળવી રહ્યો છું. મારા જીવનનો હેતુ એ છે કે જીવનનાં અંતિમ શ્વાસ સુધી લોકોને વ્યસનમુક્ત બનાવવા છે.

WhatsApp Image 2020 02 04 at 12.45.58

- Advertisement -

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી પોતાના શો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઘણા કલાકારો…

By Gujju Media
હેલ્થ

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

સવારનો સમય તાજગીથી ભરેલો હોય છે, જે દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. સવારનો સૂર્યપ્રકાશ અને શાંત…

By Gujju Media
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?