Connect with us

ટ્રાવેલ

ભારતના આ મંદિરમાં પરણિત પુરુષો જતાં ડરે છે! શ્રાપ છે તેનું કારણ

Published

on

Married men are afraid to go to this temple

સામાન્ય રીતે લગભગ દરેક ધર્મમાં રિવાજ છે કે દુલ્હા-દુલ્હન લગ્ન બાદ દેવી-દેવતાઓના આશીર્વાદ લે છે. ફેમસ મંદિરો અથવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા જાય છે પરંતુ આપણા દેશમાં એક મંદિર એવું પણ છે જ્યાં લગ્ન બાદ પુરૂષો જવાથી ડરે છે. અહીં પરણિત પુરૂષો ભુલથી પણ નથી જતા નહીં તો તેમને એક શ્રાપના કારણે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.

Married men are afraid to go to this temple in India! The reason is the curse

રાજસ્થાનમાં સ્થિત બ્રહ્માજીના વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મંદિરમાં પરણિત પુરૂષો જવાથી ડરે છે. માન્યતા છે કે જો પરણિત યુવકો આ મંદિરમાં જાય તો તેમના દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે છે. તેના પાછળ કારણ છે બ્રહ્માજીને તેમના પત્ની દ્વારા આપવામાં આવેલો એક શ્રાપ. પૈરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના માટે રાજસ્થાનના પુષ્કરમાં યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં તેમને પત્નીની સાથે બેસવાનું હતું. પરંતુ તેમની પત્ની સાવિત્રીએ આવવામાં મોડુ કર્યું. જેથી તેમણે નંદિની ગાયના મુખમાંથી ગાયત્રીને પ્રગટ કર્યા અને તેમની સાથે વિવાહ કરી યજ્ઞ કરવા લાગ્યા.

Married men are afraid to go to this temple in India! The reason is the curse

જ્યારે સાવિત્રી પહોંચ્યા તો બ્રહ્માજીની સાથે તેમણે પોતાની જગ્યા પર કોઈ અન્ય સ્ત્રીને યજ્ઞમાં બેઠેલી જોઈને ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો કે જે સંસારની રચના માટે તમે મને ભુલી ગયા તે જ સંસાર તેમને નહીં પુજે. જે પરણિત પુરૂષ તમારા આ મંદિરમાં પ્રવેશ કરશે તેના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવશે. આજ કારણ છે કે આ મંદિરમાં કુવારા યુવક-યુવતીઓ અને પરણિત મહિલાઓ તો આવે છે પરંતુ પરણિત પુરૂષો નથી આવતા.

Married men are afraid to go to this temple in India! The reason is the curse

પુષ્કરના આ મંદિરની પાસે તેમની પત્ની સાવિત્રીજીનું મંદિર અલગ એક પહાડ પર બનેલું છે. કહેવાય છે કે ગુસ્સો શાંત થવા પર બ્રહ્માજીની પત્ની સાવિત્રી પુષ્કરની પાસે પહાડો પર જઈને તપસ્યામાં લીન થઈ ગયા અને પછી તે ત્યાંના જ થઈને રહી ગયા. આ મંદિરમાં મહિલાઓ પ્રસાદમાં મહેંદી, ચાંદલો અને બંગડી જેવી શ્રૃંગાર સામગ્રી ચઢાવે છે અને પોતાના પતિની લાંબી ઉંમરની દુઆ માંગે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ટ્રાવેલ

ફરવા જવું છે પણ બજેટ ઓછુ છે? તો અહી ફરી શકસો સસ્તામાં

Published

on

Going for a walk but the budget is low? So here you can go again cheaply

મધ્યમ-વર્ગીય પરિવાર માટે પ્રવાસનું આયોજન કરવાનો અર્થ એ છે કે આખા વર્ષની બચતને તે પ્રવાસમાં એકસાથે લગાવી દેવું. પરંતુ એવું જરૂરી નથી કે ફરવા માટે તમારે તમારા પગારનો મોટો ભાગ વાપરવો પડે. ભારતમાં ઘણી એવી સુંદર જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારા બજેટ પર વધારે ભાર નહીં આવે. આ વખતે તમારી ટ્રિપ પ્લાન કરતા પહેલા તમારે આ ટૂરિસ્ટ પ્લેસ વિશે એક વાર જાણી લેજો.

Going for a walk but the budget is low? So here you can go again cheaply

તવાંગ, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ તેના મઠો માટે પ્રખ્યાત છે. અરુણાચલ પ્રદેશનું તવાંગ પણ ઓછા બજેટમાં ફરવા માટેનું સારું સ્થળ છે. આ સ્થળની સુંદરતા તમારા હૃદયમાં એક અલગ સ્થાન બનાવી લેશે અને તમે અહીં જીવનભરની યાદો બનાવીને ઘરે પરત ફરી શકો છો.. તમે અહીં 5,000 રૂપિયાથી ઓછા ખર્ચમાં તમારી ટ્રિપનો આનંદ માણી શકો છો.

Going for a walk but the budget is low? So here you can go again cheaply

પચમઢી, મધ્યપ્રદેશ
ઉનાળામાં દરેક વ્યક્તિ ફરવા માટે હિલ સ્ટેશન પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે પચમઢી હિલ સ્ટેશન ફક્ત પાંચ હજાર રૂપિયામાં ફરી શકાય છે. અહીં વોટરફોલ, પ્રાકૃતિક વિસ્તારો, ગુફાઓ, જંગલો સહિત અનેક જોવાલાયક સ્થળો છે. તમને અહીં માત્ર 1,200 રૂપિયામાં જીપ્સી ભાડે મળશે.

લેન્સડાઉન, ઉત્તરાખંડ
ઉત્તરાખંડ પહેલેથી જ પ્રવાસન સ્થળ માટે જાણીતું છે. પરંતુ જો તમે બજેટ ફ્રેન્ડલી ટ્રીપ પ્લાન કરવા માંગતા હોવ તો લેન્સડાઉન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમને 700-800 રૂપિયામાં સારી હોટલમાં રૂમ સરળતાથી મળી જશે.

Going for a walk but the budget is low? So here you can go again cheaply

કસોલ, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશની સુંદર ખીણો તમને શહેરની નાસભાગથી દૂર થોડા આરામના ક્ષણો જીવવાની તક આપશે. હિમાચલનું કસોલ એડવેન્ચર લવર્સ માટે યોગ્ય સ્થળ છે. તમે ઓછા બજેટમાં અહીં દરેક વસ્તુનો આનંદ માણી શકો છો. તમને હોટલમાં 500 રૂપિયામાં રૂમ પણ મળશે.

Continue Reading

ટ્રાવેલ

SOLO TRIP કરવા નિકળા છો તો ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા

Published

on

If you are going to SOLO TRIP, adopt this fund for photography

ટ્રાવેલિંગ દરમિયાન ફોટોગ્રાફી કરવી દરેકને ગમે છે. કહેવાય છે કે ફોટોગ્રાફી કોઈ પણ ચીજની સુંદરતા બોલ્યા વગર જ કહી દે છે. સોશિયલ મીડિયાથી લઈને ટુરિઝમને પ્રમોટ કરવા માટે પણ ફોટોગ્રાફી મહત્વની બની છે. પરંતુ જો તમે સોલો ટ્રીપ પર જઈ રહ્યા છો તો પછી ફોટો ક્લિક કરવા મુશ્કેલ કામ બની જાય છે. અને જો તમે ફોટા પાડશો તો પણ માત્ર સેલ્ફી જ કે પછી કોઈ પણ સ્થળના હશે, જેમાં તમે નહીં હોય. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ એવી ટિપ્સ જેનાથી તમે ફરવાના સ્થળે સુંદર ફોટા ક્લિક કરી શક્શો.

If you are going to SOLO TRIP, adopt this fund for photography

સેલ્ફી કેમેરા રહેશે બેસ્ટ

સોલો ટ્રિપ પર સારી સારી જગ્યાઓની સાથે પોતાના ફોટો પાડવા માટે તમારી મદદ કરશે સેલ્ફી કેમેરા કે ફોન. જેનાથી તમે કોઈની પણ મદદ માગ્યા વગર ફોટા પાડી શક્શો.
If you are going to SOLO TRIP, adopt this fund for photography

ટૂર ગાઈડ કે હોસ્ટની લો હેલ્પ

સોલો ટ્રીપ પર તમારા ફોટોઝ ક્લિક કરવા માટે તમે ટૂર ગાઈડ કે હોસ્ટની પણ મદદ લઈ શકો છો. મોટાભાગની જગ્યાએ ટૂર ગાઈડ હાજર હોય છે, જે તમને જે તે જગ્યા વિશે માહિતી આપે છે. સાથે જ તે તમારા ફોટો પાડવામાં પણ મદદ રૂપ થઈ શકે છે. તમે એકવાર પૂછશો તો તેઓ ના તો નહીં જ પાડે. આ ઉપરાંત જાણીતી જગ્યાઓએ ફોટોગ્રાફર્સ પણ રહેતા જ હોય છે. જે તમારો ફોટો પાડીને તરત જ આપે છે. બસ તમારે તેમનો ચાર્જ ચૂકવવો પડશે.

If you are going to SOLO TRIP, adopt this fund for photography

સ્થાનિક ફોટોગ્રાફર્સની લો મદદ

જો તમે ટ્રાવેલ બ્લોગિંગ કરો છો, તો ટ્રીપ દરમિયાન તમારા માટે ફોટોગ્રાફી મહત્વની છે. કારણ કે ફોટોગ્રાફી દ્વારા જ જે તે સ્થળની સુંદરતા એઝ ઈટ ઈઝ દર્શાવી શકાય છે. આ માટે તમે લોકલ જાણીતા ફોટોગ્રાફર્સ સાથે ચર્ચા કરી શકો છો. કેટલીકવાર સોલો ટ્રાવેલિંગ દરમિયાન બીજા સોલો ટ્રાવેલર્સ પણ મળી જાય છે. તમે એકબીજા સાથે વાત કરીને પણ એકબીજાની મદદ લઈ શકો છો.
If you are going to SOLO TRIP, adopt this fund for photography

કેમેરા, ટ્રાઈપોડ અને ટાઈમર

આજકાલ જાતભાતના કેમેરા અને એસેસરીઝ અવેઈલેબલ છે. આવી જ એક એસેસરી છે ટ્રાઈપોડ. ટ્રાઈપોડ પર તમે કેમેરાને ફિક્સ કરી ફોટા પાડી શકો છો. તમે જરૂરિયાત અનુસાર ટ્રાઈપોડ ખરીદી શકો છો. પછી તમારે જ્યાં ફોટો પાડવો છે. ત્યાં ટ્રાઈપોડ પર કેમેરા સેટ કરો. ટાઈમર ગોઠવો અને કેમેરા સામે ઉભા રહી જાવ. કેટલાક કેમેરામાં રિમોટનો ઓપ્શન પણ હોય છે. આ ટ્રીકની મદદથી તમારે કોઈની હેલ્પ માગવાની જરૂર નહીં પડે.

Continue Reading

ટ્રાવેલ

અહી આવેલ છે માતાપિતાનું મંદિર! બે ટાઇમ થાય છે આરતી

Published

on

Here is the temple of parents! Aarti happens twice

બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામમાં માતા પિતાનું અનોખું મંદિર છે. કેટલાક સંતાનો પોતાના માતા પિતાને વૃદ્ધા આશ્રમમાં મોકલતા હોય છે. પરંતુ આકોલી ગામના  સરકારી અધિકારીએ પોતાના માતા પિતાનું અને વડવાઓનું મંદિર બનાવીને તેમની પૂજા કરે છે. વૃદ્ધોની પૂજા કરતા આ દ્રશ્યો કોઈ વૃદ્ધા આશ્રમના નથી. આ દ્રશ્યો બનાસકાંઠાના આકોલી ગામમાં આવેલા માતૃ પિતૃ મંદિરના આકોલી ગામના  સુદીપકુમાર વાલાણી નામના તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પિતા સ્વ.દિનેશભાઇ વાલણી યાદમાં અનોખું માતૃ પિતૃ મંદિર બનાવ્યું છે. આકોલી ગામની મધ્યમાં આ માતૃ પિતૃ મંદિર  આવેલું છે. આ મંદિરમાં સુધીરકુમાર વલાણીએ તેમના પિતા અને વડવાઓનની મૂર્તિઓની સ્થાપના કરી છે અને આ મંદિરમાં પૂજા કરવા માટે પૂજારી પણ રાખવામાં આવ્યા છે. સાંજ સવાર જેમ ભગવાનના મંદિરની આરતી થાય છે તે જ રીતે આ માતૃ પિતૃ મંદિરમાં પણ માતા પિતાની આરતી થાય છે.

Here is the temple of parents! Aarti happens twice

ધાંગધ્રા ગામમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નોકરી કરતા સુધીપકુમાર વાલાણીનું માનીએ તો આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે જે માતૃ પિતૃની આરાધના માટે બન્યું છે. સંસ્કૃતમાં કહેવત છે કે, “માતૃ પિતૃ દેવો ભવ” આ કહેવતને સાર્થક બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના પનોતા પુત્ર સુધીપકુમાર વાલાણીએ માતૃ પિતૃ મંદિર બનાવીને કરી છે. આકોલી ગામમાં આવેલા આ માતૃ પિતૃ મંદિરને આજે એક વર્ષ પૂર્ણ થતા વાલણી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના સરકારી અધિકારીઓ સહિત પાલનપુર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને બોલાવવામાં આવ્યા હતા. તેમના સન્માન સાથે આકોલી ગામના લોકોએ વૃદ્ધોની પૂજા અર્ચના કરી હતી. વૃદ્ધો પણ તેમના પુત્રોની જગ્યાએ અન્ય વ્યક્તિઓ તેમની પૂજા કરતા હોવાથી તેમની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

Here is the temple of parents! Aarti happens twice

આકોલી ગામના લોકોનું માનીએ તો આકોલી ગામ નસીબદાર છે. જ્યાં દેશનું પ્રથમ એવું માતા પિતાનું માતૃ પિતૃ મંદિર બન્યું છે. જે રીતે લોકો ભગવાનની મંદિરમાં પૂજા કરતા હોય છે તે જ રીતે સ્વ. દિનેશભાઈના સંતાનો આ મંદિરમાં વડવાઓની મૂર્તિની ભગવાનની જેમ પૂજા કરી રહ્યા છે. એક તરફ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી તરફ સ્વ. દિનેશભાઇના ત્રણ પુત્રોએ પોતાના પિતા અને દાદા દાદીનું માતૃ પિતૃ મંદિર બનાવીને સમાજમાં અન્ય યુવાનોને પ્રેરણા આપે તેવો દાખલો બેસાડ્યો છે.

 

Continue Reading
Advertisement
Advertisement

Trending