Connect with us

હેલ્થ

ખાલી આ એક શાકભાજીનું જ્યુસ પીવો 90 દિવસમાં કોલેસ્ટ્રોલ થઈ જશે ગાયબ

Published

on

Simply drinking this one vegetable juice will make cholesterol disappear in 90 days

હવેના સમયમાં આપણી જીવનશૈલી એકદમ ફાસ્ટ બની ગઈ છે. સવારે ઉઠતાની સાથે જ દોડતા હોઇએ છીએ. કામ અને જવાબદારીઓને કારણે આપણે ઘણી વખત સાથે લાવેલુ ટિફિન પણ ખાઇ નથી શકતા. આ પ્રકારનું રોજબરોજ ચાલતુ રહે અને પછી છેલ્લે અસર પડે શરીર પર. શરીરમાં પ્રવેશવા લાગે નવા નવા રોગો. તેમાંનો જ એક રોગ એટલે કોલેસ્ટ્રોલ. જે તમારા કોલેસ્ટ્રોલ સહિત હૃદય રોગના સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. તેમજ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી લોકોમાં સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે. ત્યારે આ રોગમાં કયા શાકભાજી છે જેને ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ગાયબ થઇ જાય છે.

Simply drinking this one vegetable juice will make cholesterol disappear in 90 days

આપણામાંથી ઘણા એવા લોકો છે જેમને દૂધીનું શાક પસંદ નથી, પરંતુ જો આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ તો દરેક વ્યક્તિ તેને રોજિંદા આહારમાં સામેલ કરવાનું પસંદ કરશે. દૂધી ખાવાથી તમે ઘણી બીમારીઓથી રાહત મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે તેમાં ઘણા પ્રકારના પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. ખાસ કરીને તેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પોષક તત્વો શરીરની ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. આ સિવાય દૂધીનો રસ પણ કંઇ દવાથી ઓછો નથી.

Simply drinking this one vegetable juice will make cholesterol disappear in 90 days

આ માટે એક દૂધી લો અને તેની છાલ ઉતારી લો અને બીજને સારી રીતે અલગ કરી લો. પછી તેમાં 15-20 ફુદીનાના પાન પણ ઉમેરો, હવે તેમાં એક ચમચી જીરું, 2-3 ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.  ત્યારબાદ  બધી વસ્તુઓને મિક્સરમાં ભેળવીને થોડું પાણી ઉમેરો એટલે બનીને તૈયાર થઇ જશે દૂધીનો જ્યુસ . સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ આ જ્યુસનું સેવન કરો અને 90 દિવસ સુધી સતત આમ કરતા રહો અને સાથે જ બાકીના ખોરાક પર નિયંત્રણ રાખવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થઇ શકે છે.

Simply drinking this one vegetable juice will make cholesterol disappear in 90 days

જે લોકો આલ્કોહોલ અને સિગારેટનું નિયમિત સેવન કરે છે તેઓ જાતે જ પોતાના શરીરને ખોખલુ કરી રહ્યા છે. કારણ કે ધુમ્રપાનથી  લીવર અને હૃદય બંનેને નુકસાન થાય છે. આ બે આપણા શરીરના મહત્વના અંગો છે. જ્યારે આપણે દરરોજ આલ્કોહોલ અને તેલયુક્ત વસ્તુઓનું સેવન કરીએ છીએ અને જો આપણે સિગારેટ વધુ પીતા હોઈએ તો તે આપણા લીવરમાં સોજો આવવા લાગે છે. તેની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. પરંતુ આવી સ્થિતિમાં દૂધીનો રસ તમારા માટે એનર્જી ડ્રિંકનું કામ કરશે.. દરરોજ ખાલી પેટે દૂધીના જ્યુસનું સેવન કરો થોડા દિવસોમાં તમારા શરીરમાં ફાયદો દેખાવા લાગશે.

 

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

હેલ્થ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

Published

on

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગનુ સેવન કરવાના ફાયદા 

  1. દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
  2. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
  3. ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
  4. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

 

Continue Reading

હેલ્થ

ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર

Published

on

Follow these tips! Joint pain will be gone soon

 

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

Follow these tips! Joint pain will be gone soon

પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.

Follow these tips! Joint pain will be gone soon

અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

Follow these tips! Joint pain will be gone soon

લસણ 
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending