જાણવા જેવું
તો શું ભારત કોરોના સામે લડવા હર્ડ ઈમ્યુનિટી નામના બ્રહ્માસ્ત્રનો કરશે ઉપયોગ?
Published
2 years agoon

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિશ્વના કરોડો લોકો અત્યારે પોતપોતાના ઘરોમાં કેદ થયા છે. ભારતમાં પણ ત્રણ મે સુધી લોકડાઉન લાગુ છે. આ દરમિયાન માત્ર જીવન જરુરી ચીજવસ્તુઓ માટે લોકોને બહાર નીકળવા માટે મંજુરી આપવામાં આવી છે. તો કેટલાક ઉદ્યોગોને 50 ટકા કર્મચારીઓ સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે કોરોના વાયરસને વેક્સીન બન્યા બાદ જ ખતમ કરી શકાશે. પરંતુ વેક્સીન ક્યારે તૈયાર થશે તે અંગે હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી.
તેવામાં હવે લોકો સામે એક નવો શબ્દ સામે આવી રહ્યો છે અને તે છે હર્ડ ઈમ્યૂનિટી. એક રિપોર્ટ આવ્યો છે કે, લોકોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય તો કોરોના સામે સરળતાથી લડી શકાશે. ભારત પણ હવે હર્ડ ઈમ્યુનિટીના પગલે ચાલે તેવુ લાગી રહ્યું છે. જે પ્રકારે સરકારે હવે દુકાનો-ઉદ્યોગોને છૂટછાટ આપી છે તે જોતા લાગી રહ્યું છે કે સરકાર આ વાયરસના સંક્રમણને આ જ રીતે કાબુ કરશે. પ્રિંસટન યુનિવર્સિટી અને સેંટર ફોર ડિજીજ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસીના સંશોધનકર્તાનું કહેવું છે કે હર્ડ ઈમ્યુનિટીની તકનીક ભારતમાં કોરોનાથી લડવા માટે કારગર સાબિત થઈ શકે છે.
ભારતે પોલિયો-શિતળાની બિમારીને હર્ડ ઈમ્યુનિટી વધારીને હરાવ્યો
હર્ડ ઈમ્યુનિટીની વાત કરીએ તો ભારતે આ પહેલા પોલિયો તેમજ શિતળા જેવી બિમારીઓ માટે પણ રસીકરણ દ્વારા હર્ડ ઈમ્યુનિટી વધારીને હરાવી દીધો છે. ભારત પોલિયો મુક્ત દેશ પણ બન્યો છે. એક રિપોર્ટ મુજબ બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પૈટ્રિક વૈલેસએ સરકારને સલાહ આપી હતી કે, સરકાર કોરોના વાયરસની અસર ઘટાડવા માટે તેને વધુ વસ્તીમાં ફેલાવી દેવામાં આવે જેથી હર્ડ કમ્યુનિટી, સામૂહિક પ્રતિરોધકતા વિકસિત થાય અને કોરોનાને કાયમી ખતમ કરી શકાય. હાલમાં બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતનું ખંડન કરી કહ્યું છે કે બ્રિટનમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી.
શું હોય છે હર્ડ ઈમ્યુનિટી
દુનિયામાં કોરોનાથી લડવાના બે ખૂબ જ અલગ-અલગ હથિયાર છે. એક છે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને બીજું છે ઘરથી બહાર નીકળો. વાત પણ વ્યાજબી છે. ઘરોમાં લોકો ક્યાં સુધી પુરાઈને રહેશે. કારણકે આનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખાડામાં જશે. દુનિયાને કોરોના વાયરસથી બચવા માટે કેટલાક વૈજ્ઞાનિકો હર્ડ ઈમ્યુનિટી અપનાવવાની સલાહ આપી રહ્યા છે, જેથી તેને ફેલાતો રોકી શકાય. આ વાત ખૂબ જ આશ્ચર્યજનક અને અજીબ છે, પરંતુ મેડિકલ સાયન્સની સૌથી જુની પદ્ધતિથી જોઈએ તો આ એક સત્ય છે. હર્ડ ઈમ્યુનિટી એટલે કે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં લોકોને બચાવવા માટે, વસ્તીના અમૂક ભાગને વાયરસથી સંક્રમિત થવા દેવો જોઈએ. જેથી તેમના શરીરમાં ચેપ સામે સામૂહિક ઈમ્યુનિટી એટલે કે પ્રતિરોધક ક્ષમતા બનશે. આનાથી શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ બનશે. જેને તેમના શરીરમાંથી કાઢીને વેક્સીન તૈયાર કરવામાં મદદ મળી શકે છે. કારણકે આનાથી ફરી ક્યારેય આ વાયરસ ના તો તેમને સંક્રમિત કરશે ના તો બીજાને.
કોરોના સામે કેટલી કારગર સાબિત થશે હર્ડ ઈમ્યુનિટી
કોરોના સંક્રમિત થનારા મોટાભાગના લોકો ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવનારા છે. તેમાં મોટાભાગના દર્દીઓ મોટી ઉંમરના છે અથવા તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસના દર્દીઓ છે. આવા લોકોમાં રસીકરણ અપનાવવામાં આવે તો ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. જાણકારોના મતે આ પ્રોસેસમાં એવા લોકોને સામેલ કરી શકાય કે, જેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય. જેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધુ ડેવલપ થતી હોય. આ પદ્ધતિમાં હર્ડ કમ્યુનિટીમાં વધારે સમય લાગી શકે છે.
કેવી રીતે કરે છે કામ
હર્ડ કમ્યુનિટી ડેવલપ કરવા માટે સૌથી પહેલા બિમારી ફેલાવાના લક્ષણો અને તેને માટે જરૂરી હર્ડ ઇમ્યુનિટી લિમિટ ખબર હોવી જરૂરી છે. હર્ડ ઈમ્યુનિટી લિમિટ જાણવા માટે મહામારી વૈજ્ઞાનિકો આર ઓ અર્થાત પ્રજનન ક્ષમતા સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરે છે. તેને બેઝીક રીપ્રોડક્ટીવ નંબર-આરઓ કહેવામાં આવે છે.. આ જણાવે છે કે, કોઈ એક સંક્રમિત વ્યક્તિ દ્વારા બીજા કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે… આ સ્ટાન્ડર્ડના આધાર પર જ તેનો પ્રયોગ આગળ વધારવામાં આવે છે. આઈસીએમઆરના રીપોર્ટ મુજબ કોરોનાથી પીડીત એક વ્યક્તિ અન્ય ચાર લોકોને સંક્રમિત કરી શકે છે. કમ્યુનિટી ટ્રાન્સમિશન અર્થાત સામુદાયિક પ્રસારમાં આ સંખ્યા વધી પણ શકે છે.
You may like
-
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
-
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
-
તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
-
શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.
જાણવા જેવું
લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.
Published
3 weeks agoon
October 1, 2022By
Gujju Media
આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 months agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન