એન્ટરટેઈન્મેન્ટ
‘વ્હાલમ જાઓ ને’નું નવું સોન્ગ ‘ઘેલો રે ઘેલો’થઇ ચૂક્યુ છે રીલિઝ!
Published
2 mins agoon
By
Gujju Media
ફિલ્મમાં સૌપ્રથમ વખત સચિન-જીગર ગીત ગાતા નજરે આવી રહ્યાં છે
ગુજરાતઃપ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલા રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉં’ અને સિઝનનું પરફેક્ટ વેડિંગ નંબર‘મુરતિયો મૂડમાં નથી’ સાથે પ્રેક્ષકોને રોમાંચિત કર્યા બાદ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ટ્રેક ‘ઘેલો રે ઘેલો’ કે જે વિચિત્ર અને રમુજી છે તેને રીલિઝ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી,આપણે પ્રખ્યાત મ્યુઝિકલ ડ્યુઓ સચિન-જીગરને સંગીતકાર અને ગાયક તરીકે જોયા છે,પરંતુ આ પહેલીવાર હશે જ્યારે પ્રેક્ષકો સચિન-જીગરને ગુજરાતી ફિલ્મના ગીતમાં જોઇ રહ્યાં હશે.
મ્યુઝિકલ ડ્યુઓ સચિન-જીગર દ્વારા સંગીત કંપોઝ આવ્યું છે, આ ગીતના શબ્દો ફિલ્મના મૂડને ધ્યાનમાં રાખીને ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે, જેને સચિન સંઘવી અને જીગર સરૈયાએ ગાયું છે.
‘ઘેલો રે ઘેલો’ એ એક નૉન-સ્ટોપ એન્ટરટેઇનિંગ સોન્ગ છે, જે પ્રેક્ષકોને તે જ સમયે તે નાયક માટેની અનુભૂતિ કરાવશે, જે પોતાના જીવનમાંથી ઘણી વસ્તુઓને પૂર્વવત્ કરવા ઇચ્છુક છે. આ ગીત ઉન્માદ અને આનંદી ક્ષણોને દર્શાવે છે,જેમાં આપણા મુખ્ય પાત્ર સુમિત ગાંધી (પ્રતિક ગાંધી) પોતાના જીવનમાંથી પસારથઇ રહ્યા છે.
‘ઘેલો રે ઘેલો’કંપોઝ કરવા પર મ્યુઝિકલ ડ્યુયો સચિન-જીગર જણાવે છે, “ઘેલો રે ઘેલો એક મેડ સોન્ગ છે, જે ફિલ્મના સારને ખરેખર સારી રીતે દર્શાવે કરે છે. આ સોન્ગને કંપોઝ કરતી વખતે અમને ખૂબ જ મજા આવી અને પહેલીવાર દર્શકો અમને ગુજરાતી ફીચર ફિલ્મમાં ગીત પર પરફોર્મ કરતા જોશે. આ સોન્ગ એક પેપી નંબર છે અને મૂવીમાં પ્રતિકના પાત્રના ઉન્માદ અને રોલર કોસ્ટર રાઇડને હાઇલાઇટ કરે છે.”
‘વ્હાલમ જાઓ ને’ એક મલ્ટી-સ્ટારર રોમેન્ટિક કોમેડી છે, જેનો રોલર કોસ્ટર પ્લોટ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે, જેને માત્રને માત્ર થિયેટર્સમાં જ જોવો જોઈએ.
અહીં ગીત જુઓ –
જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત તેમજ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત‘વ્હાલમ જાઓ ને’ પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ અભિનિત છે. જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
You may like
એન્ટરટેઈન્મેન્ટ
અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી?
Published
2 days agoon
November 2, 2022By
Gujju Media
અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી?
રૂપાલી ગાંગુલીના સુપર હિટ શો ‘અનુપમા’એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. દરરોજ આ શોમાં કોઈને કોઈ અવનવા વળાંક આવતા રહે છે. આ સિરિયલના મેકર્સ પણ દર્શકોને ખુશ કરવા અને શો સાથે જોડાયેલ રાખવા માટે સતત કોઈને કોઈ પ્રયત્ન કરતાં રહે છે. સિરિયલમાં ચાલતા અવનવા વળાંક અને ટ્વીસ્ટથી દર્શકો ખૂબ ખુશ છે અને હવે આગળ સિરિયલમાં શું આવશે એ જાણવા માટે સતત પ્રયત્ન કરતાં હોય છે.
હમણાં સિરિયલ ‘અનુપમા’માં જોવા મળ્યું હતું કે અનુપમાએ કોલેજમાં એડમિશન લીધું છે તે પોતાનું આગળનું ભણવાનું પૂરું કરવા માટે ખૂબ પ્રસન્ન અને એક્સાઈટેડ છે. હમણાં આ બધા ટ્વીસ્ટ અને ટર્ન વચ્ચે અનુપમાને લઈને એક સમાચાર આવી રહ્યા છે કે આ સિરિયલમાં ટીવીની એક ફેમસ અભિનેત્રી સુપ્રિયા પિલગાવકરની એન્ટ્રી થઈ શકે છે. જો હવે આ બાબત વિષે અભિનેત્રીએ જાતે પ્રતિક્રિયા આપી છે.
સુપરહિટ સિરિયલ અનુપમાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં સુપ્રિયા પિલગાવકરની એન્ટ્રી એ અનુપમાના ટીચર તરીકે થવાની છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રી સુપ્રિયાનું કહેવું છે કે તેમણે આવા કોઈ પાત્ર માટે ઓડિશન પણ આપ્યું નથી અને તેમને આ બાબતમાં કોઈ કોલ પણ આવ્યો નથી. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, ‘આ મારી માટે પણ નવાઈ લાગે એવું છે. આ સાચું નથી. મે ઈન્ટરનેટ પર વાંચ્યું હતું અને હું પોતે હેરાન રહી ગઈ હતી કે લોકો આવી વાર્તાઓ કેવીરીતે બનાવી શકે છે.’
રૂપાલી ગાંગુલીના સુપરહિટ શો ‘અનુપમા’ વિષે વાત કરતાં સુપ્રિયા આગળ જણાવે છે કે, ‘મને પ્રોડક્શન હાઉસથી કોઈ ફોન પણ નથી આવ્યો અને મે કોઈ ઓડિશન પણ નથી આપ્યું. આ બહુ રસપ્રદ શો છે અને જ્યારે હું લંડન ગઈ હટી તો લોકો આ વિષે મને પૂછી રહ્યા હતા. હું પોતે પણ આ શો પણ પસંદ કરું છું, પણ મને હજી સુધી અનુપમા માટે બોલાવી નથી. મને સસુરાલ ગેદાં ફૂલ-2′ પછી ઘણી ઓફર આવી હતી પણ હું થોડો બ્રેક લેવા માંગતી હતી. હવે હું જલ્દી જ ટીવી પર પરત આવીશ.’
એન્ટરટેઈન્મેન્ટ
કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.
Published
2 weeks agoon
October 18, 2022By
Gujju Media
બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી.
કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી.
એક મીડિયા હાઉસને આપેલ ઇંટરવ્યૂમાં કેટરીના કૈફએ કહ્યું હતું કે વિક્કી કૌશલએ કેટરીના કૈફના પહેલા કરવા ચૌથને ખૂબ ખાસ બનાવ્યો હતો. વાત એમ હતી કે આ દિવસે અભિનેતા વિક્કી કૌશલે પણ કેટરીના કૈફ માટે વ્રત કર્યું હતું. અભિનેત્રીએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ‘મને આશા નહોતી કે વિક્કી આવું કરશે. પણ તેમણે જાતે જ આ નિર્ણય કર્યો એ ખૂબ ગમ્યું મને. વિક્કીના મમ્મી પપ્પાએ પણ કરવા ચૌથ સેલિબ્રેટ કરી લાગતું હતું કે આ તેમનું પણ પહેલું કરવા ચૌથ છે.’
પહેલું કરવા ચૌથ વ્રતને લદિહે કેટરીના કૈફએ બધી વિધિ ખૂબ સારી રીતે નિભાવી હતી, પણ ચંદ્રની રાહ જોતાં જોતાં તે ખૂબ ભૂખી થઈ ગઈ હતી. આ વાત પણ તેણે જણાવી હતી. કેટરીના કૈફએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ચંદ્ર 9:01એ આવી જાય છે પણ એ દિવસે 9:30 સુધી ચંદ્ર દેખાયો હતો નહીં ને મને ખૂબ ભૂખ લાગી હતી.’ જો કે જ્યારે અભિનેત્રી કેટરીનાને ખબર પડે છે કે વિક્કી કૌશલએ પણ તેની મેટ વ્રત કર્યું છે ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેને ખૂબ સારું લાગ્યું હતું.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 તારીખે થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. કેટરીના અને વિક્કીના લગ્નને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા.
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.
Published
3 weeks agoon
October 16, 2022By
Gujju Media
મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.
જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.
ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.
વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?
ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’

‘વ્હાલમ જાઓ ને’નું નવું સોન્ગ ‘ઘેલો રે ઘેલો’થઇ ચૂક્યુ છે રીલિઝ!

સુહાના ખાનએ પોતાની બેસ્ટ ફ્રેન્ડને આવીરીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ.

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીનું નવું સોંગ ‘વ્હાલમ જાઓ ને’ મચાવી રહ્યું છે ધૂમ

અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી?

ફિલ્મ પુષ્પાની મહિલા વિલનની વાર્તા, જેણે ‘પતિની છાતી પર બેસીને તેનું ગળું કાપી નાખ્યું’.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ