Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
ગુજરાતજાણવા જેવુંધર્મદર્શન

world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

Chintan Mistry
Last updated: February 4, 2020 3:21 pm
By Chintan Mistry
4 Min Read
Share
WhatsApp Image 2020 02 04 at 12.16.00 2
SHARE

એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ….બીડી છે મોતની સીડી….જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે…..પણ તેમ છતાં વિશ્વમાં હજારો લોકો આજે પણ વ્યસનના કારણે કેન્સરથી પીડાઈને મોતને ભેટતા હોય છે…આજે વર્લ્ડ કેન્સર ડે છે ત્યારે આપણે એક એવી વ્યક્તિ વિષે જાણીશું જેમણે માત્ર વ્યસન છોડી તો દીધું પણ આજે લોકોને વ્યસન છોડાવી રહ્યા છે.. તેમણે માત્ર સંતોનું જીવન જોઈ પોતાના જીવનમાંથી હંમેશ માટે વ્યસન દૂર કરી દીધું….

gopalbhaisuthar2

જીહાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ડાહ્યાભાઈ સુથાર કે જેઓ પહેલા વ્યસનના ચંગુલમાં ફસાયેલા હતા. ૫૫ વર્ષીય ગોપાલભાઈએ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ (૯ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧) સુધીમાં એક લાખ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે અત્યાર સુધીમાં ૭00થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા છે. રસપ્રદ બાબત એ છે કે દરરોજ ૧૫ મસાલા અને રોજની ૧૦ સિગરેટ પીનારા ગોપાલભાઈને જ્યારે સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે તેમના ખુદના જીવનમાં પરિવર્તન આવ્યું…તેમણે પોતે તો વ્યસન છોડી દીધું પરંતુ આજે તેઓ અન્યોને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી રહ્યા છે…આ કાર્ય માટે તેઓ 24 કલાકમાંથી 3થી 4 કલાક ફાળવે છે….તેમનું કહેવું છે કે,  વ્યસન એ આજના યુગનું સૌથી મોટું દુષણ  છે. એક વખત માણસ વ્યસનના રવાડે ચડી જાય પછી તે બહાર નીકળી શકતો નથી. વ્યસનને કારણે આર્થિક અને શારીરીક નુકસાન થાય છે.

- Advertisement -

IMG 20200204 WA0056

(બોલીવુડ કલાકાર અનુપમ શ્યામ)

- Advertisement -

તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ એ પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કલાકાર કે અધિકારી તમામને વ્યસન અંગે વાત કરી તેમને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે.  ગોપાલભાઈના જણાવ્યા મુજબ તેઓ ૧૭ વર્ષના હતા ત્યારે ખરાબ સંગતે ચડી ગયા અને તમાકુયુક્ત મસાલા અને ધૂમ્રપાન કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, એક તબક્કે તો મારા પિતા ડાહ્યાભાઈ કહેતા કે ‘આ ગોપાલ કદી વ્યસનમુક્ત નહીં બને…’ જોકે, વર્ષ-૨૦૦૭માં ૪૨મા વર્ષે હું સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શન કરવા ગયો હતો અને અચાનક આ મંદિરની પાછળ આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-સારંગપુર તીર્થ ખાતે ગયો. ત્યાં ઉચ્ચ અભ્યાસથી યુક્ત સંતોને સેવા કરતાં જોયા ત્યારે મને તેઓને મળવાનું મન થયું. તેઓને મળ્યા બાદ હું જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો ત્યારે તેમના એક ધબ્બાથી જાણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મેં એ જ ક્ષણે પાન-મસાલા ખાવાનું અને ધૂમ્રપાન કરવાનું છોડીને એક વ્યસનમુક્ત વ્યક્તિ બની ગયો. એટલું જ નહીં, મને બીજાઓને પણ વ્યસનમુક્ત બનાવવાની પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે, તેમાંનો એક હું પણ છું. હું આ વ્યસનમુક્તિના અભિયાનમાં આજીવન જોડાઈ ગયો છું. હું મારી સાથે બે પુસ્તકો પણ રાખું છું અને તેના દ્વારા હું તેમને સાચું માર્ગદર્શન આપું છું. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ચાંગોદરમાં એક ફેક્ટરીમાં ગયો હતો ત્યાં પણ એક સાથે ૩૧ કારીગરોને વ્યસનમુક્ત કર્યા છે. ખાસ કરીને આગામી વર્ષે એટલે કે તા.૯ નવેમ્બરથી તા.૧૧મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ’ની ૩૩ દિવસની ઉજવણી થવાની છે તે સમયગાળા સુધીમાં એક લાખ લોકોને વ્યસનમુક્ત કરવાના સંકલ્પ લેવડાવવા છે. આ માટે દરરોજ હું ચાર-પાંચ કલાક ફાળવી રહ્યો છું. મારા જીવનનો હેતુ એ છે કે જીવનનાં અંતિમ શ્વાસ સુધી લોકોને વ્યસનમુક્ત બનાવવા છે.

WhatsApp Image 2020 02 04 at 12.45.58

- Advertisement -
શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ
થાર રણની રેતીમાં રમતું નગર એટલે જેસલમેર.. ચાલો જાણીએ તેના વિશે અવનવી વાતો …
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર
ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાને લઇને મહત્વના સમાચાર,આ મહિનામાં ઓફલાઇન પરીક્ષા યોજવાનું આયોજન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
cholesterol1.jpg.webp
કોલેસ્ટ્રોલ વધવાથી છો પરેશાન? આ ખોરાક લેવાથી LDL થશે ગાયબ!
હેલ્થ
1783857533 iyer.jpg.webp
ન કેપ્ટનશીપ ચાલી, ન ફિલ્ડિંગ! ભારતીય ટીમના ખરાબ પ્રદર્શને ઇંગ્લેન્ડને અપાવી આસાન જીત
સ્પોર્ટ્સ
1783857717 Copy of Satya web temp 9.jpg.webp
હવે મોટા કેમેરા સેન્સરને કહો અલવિદા, જાપાનની આ ટેકનોલોજી બદલી નાખશે ગેમ
ગેજેટ
E 20 petrol2.jpg.webp
પેટ્રોલ ભરાવતી વખતે હવે મનગમતો વિકલ્પ! સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 39.jpg.webp
ધર્મદર્શન

શું કોઈ તમારા પગે લાગે તો તમારા પુણ્ય નાશ પામે છે? જાણો પ્રેમાનંદજી મહારાજનો જવાબ

By Gujju Media
5 Min Read
1771636679 Copy of Satya web temp 29.jpg.webp
ધર્મદર્શન

હોલિકાની અગ્નિમાં ભૂલથી પણ ન નાખશો આ વસ્તુઓ, નહીં તો પુણ્યને બદલે પાપ લાગી શકે છે!

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 2026 01 14T141927.878.jpg.webp
ધર્મદર્શન

માત્ર પરંપરા નહીં પણ વિજ્ઞાન છે 108! સૂર્ય અને પૃથ્વી સાથે શું છે તેનું ખાસ જોડાણ?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?