દેશભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે,કોરોના વાઇરસ અંગે દુનિયાભરમાં ખૌફનો માહોલ ફેલાયો છે,ત્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દેશવાસીઓને કોરોના વાયરસ સામે લડવા અલગ અંદાજમાં સંદેશો આપ્યો છે. અમિતાભે ટ્વીટર પર એક દિલચસ્પ વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં તેઓ કોરોનાને ઠેંગો દેખાડી રહ્યા છે.
કોરોના વાઇરસ અંગે દુનિયાભરમાં ખૌફનો માહોલ ફેલાયો છે, રસપ્રદ એ પણ છે કે, તેઓ દેશી અંદાજમાં પોતાની અવધી ભાષામાં કવિતા દ્વારા આ સંદેશ આપી રહ્યા છે. અમિતાભે પોતાની કવિતા ગાઇને લોકોને આડકતરી રીતે કોરોના સામે સાવચેતી દાખવવાની સલાહ આપી હતી.
https://www.instagram.com/tv/B9pJ6qpBn2n/?utm_source=ig_web_copy_link
તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે લોકોમાં દહેશત છે, પરંતુ તેનાથી ડરવાની જરુર નથી. જોકે, કેટલીક વાતોને ધ્યાન રાખઈને આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે.
આવું જ કંઈક અમિતાભ બચ્ચન પોતાની કવિતામાં સમજાવી રહ્યા છે. તેઓ કવિતામાં કહી રહ્યા છે કે, ‘બહુતેરે ઈલાજ બતવા, જન જનમાનસ સબ. કેકર સુને કેકર નાહી’ કોન બતાઈ ઈ સબ’. આ કવિતા અમિતાભ બચ્ચન એક દેશી ભાષામાં સમજાવી રહ્યા છે. વીડિયોના કેપ્શમાં અમિતાભે લખ્યુ છે કે, ‘હું Covid 19’ ને લઈને ચિંતામાં છુ. તેના માટે મેં કેટલીક પંક્તિઓ લખી છે.