Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?
જાણવા જેવું

રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?

Shraddha Vyas
Last updated: September 2, 2018 9:01 am
By Shraddha Vyas
4 Min Read
Share
Radha And Shri Kirishna
SHARE

શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમના ઉદાહરણો આપણે અવારનવાર સાંભળીયે છીએ. વળી, બંનેની ગોકુલની લીલાઓ અને નટખટ પ્રસંગો તો કોઈ કેમ ભુલાવી શકે? રાધા અને કૃષ્ણનું મિલન તો જીવાત્મા અને પરમાત્માનું મિલન છે. રાધા અને શ્રી કૃષ્ણ એ 8 વર્ષે પ્રેમનો સાક્ષાત્કાર કર્યો હતો. રાધા ભગવાનની ખુબ નજીક હતી. જો કે રાધા અને કૃષ્ણના સંબંધની સૌથી ખાસ વાત એ હતી કે બંનેએ પોતાની પ્રેમની યાદોને જકડી રાખી હતી.

Lord Krishna

કહેવાય છે કે રાધા અને વાંસળી શ્રી કૃષ્ણની સૌથી નજીક હતા. અને આ બંને એટલે કે વાંસળી અને રાધા પણ એકબીજા સાથે એકદમ ગહેરાઈથી જોડાયેલી હતી. શ્રી કૃષ્ણની વાંસળીની ધુન સાંભળીને રાધા કૃષ્ણ પાસે આવતી હતી અને રાધાના કારણે જ કૃષ્ણ વાસળીને હંમેશા પોતાની પાસે રાખતા હતા.

- Advertisement -

કૃષ્ણ ભગવાનની દરેક પ્રતિમામાં વાસળી તો જોવા મળે જ છે. જે રાધાના પ્રેમનું પ્રતિક કહી શકાય. જો કે રાધાનું મૃત્યુ કઈ રીતે થયું તે માટે અલગ-અલગ વાર્તાઓ પ્રચલીત છે. પરંતુ એક ખુબ જાણીતી વાર્તા અહી રજુ કરવામાં આવી છે.

Lord Krishna 2

- Advertisement -

જયારે કંસનો નાશ કરવા કૃષ્ણ બલરામ સાથે મથુરા ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની જુદાઈની પળ આવી પહોચી હતી. શ્રી કૃષ્ણએ રાધાને વચન આપ્યું હતું કે તેઓ જરૂર રાધા પાસે પરત ફરશે. પરંતુ કૃષ્ણ ભગવાનના લગ્ન રુકમણી સાથે થયા. રુકમણીએ પણ ભગવાન માટે ખુબ રાહ જોઈ હતી. ભગવાન સાથે લગ્ન કરવા માટે તેણીએ તેના ભાઈ રુક્મિ વિરુદ્ધ ગઈ હતી. રાધાની માફક રુકમણી પણ કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતી હતી. અને તેણે ભગવાનને પત્ર લખી પોતાની સાથે લઇ જવા કહ્યું હતું અને ત્યારબાદ ભગવાન રુકમણીને લેવા ગયા હતા.

બસ, ત્યારબાદથી રાધાનું વર્ણન ખુબ ઓછું થઇ ગયું હતું. વૃંદાવનમાં જયારે છેલ્લીવાર રાધા અને કૃષ્ણ મળ્યા હતા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે, ભલે કૃષ્ણ તેનાથી દુર જઈ રહ્યા હોય પણ મનથી તે હંમેશા કૃષ્ણની પાસે રહેશે. મથુરામાં રાક્ષસોનો વધ કરી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને દ્વારકાધીશના નામથી ઓળખાયા.

- Advertisement -

જયારે રાધાના જીવનમાં એક અલગ મોડ આવ્યો, રાધાના લગ્ન એક યાદવ સાથે થયા અને રાધાએ પોતાના દામ્પત્ય જીવનના દરેક પડાવ નિભાવ્યા અને વૃદ્ધ થઇ ગઈ. પરંતુ શ્રી કૃષ્ણ તેના મનમાં તો હતા જ.

Radha 2

- Advertisement -
- Advertisement -

બધા કર્તવ્ય પુરા થયા બાદ રાધા અંતે શ્રી કૃષ્ણને મળવા પહોચી. તેને ખબર પડી કે કૃષ્ણના લગ્ન રુકમણી અને સત્યભામા સાથે થયા છે પરંતુ તે વાતથી તે બિલકુલ દુખી થઇ ન હતી. કૃષ્ણ અને રાધા જયારે મળ્યા ત્યારે બંનેએ ઈશારોમાં જ ઘણી વાત કરી હતી. રાધાને દ્વારકામાં કોઈ જ ઓળખતું ન હતું. રાધા મહેલમાં રહેતી અને જયારે તક મળે ત્યારે ભગવાનના દર્શન કરતી હતી. પરંતુ તે કૃષ્ણ સાથેની આધ્યાત્મિકતાનો નાતો બાંધી શકતી ન હતી અને આથી જ તેણે મહેલની બહાર જવાનું નક્કી કર્યું.

ભગવાનને ખબર હતી કે રાધા ક્યાં જઈ રહી હતી. સમય પસાર થયો અને રાધા અશક્ત થઇ ગઈ. અને તેને કૃષ્ણની જરૂર પડી. રાધાના અંત સમયે ભગવાન તેમની સમક્ષ આવ્યા. કૃષ્ણએ રાધાને કૈક માંગવા કહ્યું પરંતુ રાધાએ મનાઈ કરી. કૃષ્ણએ ફરીવાર પૂછ્યું એટલે રાધાએ કૃષ્ણને વાંસળી વગાડવા અનુરોધ કર્યો. કૃષ્ણએ ખુબ સુંદર રીતે વાસળી વગાડી. કૃષ્ણએ દિવસ-રાત વાંસળી વગાડી અને રાધા આધ્યાત્મિક રીતે કૃષ્ણમાં વિલીન થઇ ગઈ અને પોતાનું શરીર ત્યજી દીધું.

ભગવાનનો પ્રેમ અમર હતો, આમ છતાં તે રાધાના મૃત્યુને જીલી ન શક્યા અને તેણે પોતાના પ્રેમનું પ્રતિક એવી વાંસળીને તોડી નાખી અને ત્યારબાદ ફરી ક્યારેય વાંસળી ન વગાડવાનો નિર્ણય કર્યો.

- Advertisement -

કહેવાય છે કે જયારે નારાયણ ભગવાને કૃષ્ણના રૂપમાં જન્મ લીધો ત્યારે લક્ષ્મીજીએ રાધાના રૂપમાં જન્મ લીધો હતો જેથી મૃત્યુ લોકમાં પણ તે ભગવાનની સાથે રહી શકે.

જાણો કેવી રીતે કોરોનાકાળમાં હવે ઘરબેઠા જ થશે સિમકાર્ડ વેરિફિકેશન અને ડિલીવરી
કોરોના વાયરસને લઈને મહત્વનો ખુલાસો,એક વખત કોરોના થઈ ગયા પછી કેટલો હોય છે સંક્રમણનો ખતરો
ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કરવામાં આવ્યો છે ક્વોરન્ટીન શબ્દનો ઉલ્લેખ,જાણો શા માટે ગાંધીજીને 23 દિવસ માટે ક્વોરન્ટીન રહેવુ પડ્યુ હતું
શું તમારૂ દૂધ નકલી તો નથી ને: આ રીતે ચકાસણી કરો ઘરે બેઠા
ફ્યુચર ગ્રૂપમાં હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહ્યા છે મુકેશ અંબાણી,કરવા જઇ રહ્યા છે આ મોટો સોદો
- Advertisement -
TAGGED:Radhashri krishna and radhashri krishna and radha Ending Storyshri krishna and radha Full Storyshri krishna and radha Love Storyshri krishna and radha Storyshri krishna and radha Story In Gujarati
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 21.jpg.webp
ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી
બિઝનેસ
iNDIA 2026 08 31T125908.144.jpg.webp
શેરબજારમાં બ્લોક ડીલનો ઓલ-ટાઈમ રેકોર્ડ: ઓગસ્ટ મહિનામાં ₹80,000 કરોડથી વધુના સોદા!
શેરમાર્કેટ
Copy of Satya web temp 30.jpg.webp
ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ ગયું? ગભરાશો નહીં, આ સરળ રીતથી મળી શકે છે પૂરેપૂરું રિફંડ
ગેજેટ
Copy of Satya web temp 4.jpg.webp
પતિ-પત્નીની આ 5 ભૂલો હસતા-ખેલતા પરિવારને કરી દે છે બરબાદ
ધર્મદર્શન
lemon water.jpg.webp
સવારે લીંબુ પાણી પીવાથી શું થાય છે? ડોક્ટરે જણાવ્યા તેના આશ્ચર્યજનક અને અદ્ભુત ફાયદા
હેલ્થ
- Advertisement -

You Might Also Like

alexA OP
ગેજેટજાણવા જેવું

શું તમે જાણો છો પ્રત્યેક બે મિનિટે ભારતીય યુઝર્સ એલેક્સાને લગ્નની પ્રપોઝલ મુકે છે…

By Nandini Mistry
2 Min Read
BeFunky collage 2020 07 03T124229.263
જાણવા જેવું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત

By Palak Thakkar
1 Min Read
corona virus 1
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસથી બચવા આ 3 લક્ષણોને જાણી લો,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ દ્વારા કરવામાં આવ્યું રિસર્ચ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?