Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
Uncategorized

કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ

Palak Thakkar
Last updated: March 28, 2020 12:13 pm
By Palak Thakkar
8 Min Read
Share
3hyoap4K9TnihHRjK8swsF scaled
SHARE

દેશ અને દુનિયા અત્યારે કોરોનાના કહેરથી પરેશાન છે,દુનિયાના કેટલાક દેશમાં લોકડાઉનની લાગુ પાડી દેવામાં આવ્યું છે,પરંતુ કોરોના વાયરસની સાથે અફવાઓનો પણ દોર જોવા મળી રહ્યો છે.

Contents
  • 2. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?
  • 3. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?
  • 4 શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે?
  • 5. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે?
  • 6. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?
  • 7. શું ડોર નોબથી પણ આ વાઈરસ આવી શકે છે?
  • 8. કોરોના વાઈરસની તપાસ કોણે કરાવવી જોઈએ? શું જેને સામાન્ય હળવો તાવ કે કફ છે, તેમણે પણ તપાસ કરાવવી જોઈએ?
  • 9.કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે?
  • 10. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે?
  • 11. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?
  • 12. શું હાલ હોસ્પિટલની મુલાકાત લેવી સેફ છે?
  • 13. શું ગરમી વધવા પર કોરોના વાઈરસ ખતમ થશે?
  • 14. શું કોરોના વાઈરસ કોઈ વ્યક્તિને ફરી થઈ શકે છે?
  • 15 શું આનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર વિકલ્પ ડિસ્ટેસિંગ જ છે?
  • 16. શું યોગા, પ્રાણાયામ કરવાથી આ વાઈરસથી બચી શકાય છે?
  • 17. બ્લડ ડોનરને કોરોના વાઈરસની તપાસ કરાવવી જરૂરી છે?
  • 18. શું આ આલ્કોહોલ, ગરમ પાણીના સેવનથી મરે છે?
  • 19. શું હેન્જ સેનેટાઈઝર સાબુ કરતા વધારે સારો વિકલ્પ છે?
  • 20. બહારનું જમવાનું અને નોનવેજથી સંક્રમણ થઈ શકે છે?

1667c3a2f9ac4d4abea1b1ab1ea0b35c 18

અપૂરતી માહિતીના કારણે લોકો અફવાઓનો ભોગ બનતા હોય છે,દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ અંગે યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકોના મનમાં ડર છે. સાથે જ લોકો એવી સતર્કતા વર્તી રહ્યા છે જે કદાચ એટલી જરૂરી નથી. જેવી કે, શરદી ખાંસી વગર પણ N-95 માસ્ક લગાવીને ફરી રહ્યા છે. શરદી થાય તો પણ તેમને કોરોનાનું જોખમ લાગે છે.

- Advertisement -

 

iStock 1134952868
શુ તમને પણ આવા પ્રશ્ર્નો મુજવી રહ્યા છે,તો તમારા બધા જ પ્રશ્ર્નો ના જવાબ અહીં છે,
1 તમે જે કપડાં પહેરો છો, શું તેનાથી સંક્રમણ થઈ શકે છે?

હા બિલકુલ થઈ શકે છે. તમે જે કપડાં પહેરી રહ્યા છો તેને તરત ઘરે આવીને સારી રીતે ધોવો. કારણ કે બહાર નીકળવા પર અમે ઘણા લોકો સાથે અથડાઈએ છીએ. એવામાં સંક્રમણ કોઈના પણ દ્વારા કપડા સુધી આવી શકે છે. કપડાં પર હાથ લગાવીને તમે મોંઢા-નાક સુધી લઈ જશો અને સંક્રમિત થઈ જશો.

- Advertisement -

2. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?

બિલકુલ. આ તમામ ગેજેટ્સને સેનેટાઈઝ કરવા જરૂરી છે. કી-બોર્ડને સેનેટાઈઝ કરતા રહો. મોબાઈલની સ્ક્રીન પણ સેનેટાઈઝ કરો. જો કે આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ તેમની આસપાસ રહે. સંક્રમણ જાતે પેદા નથી થતું. ક્યાંકને ક્યાંકથી ફેલાય છે.

3. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?

જુત્તા-ચપ્પલથી સંક્રમણ નથી ફેલાતું. ઘડીયાળ પહેરો છો તો તેને સેનાટાઈઝ કરતા રહો, કારણ કે ડ્રોપલેટ્સ દ્વારા ઘડીયાળ સુધી પણ સંક્રમણ આવી શકે છે.

- Advertisement -

4 શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે?

ના બિલકુલ જરૂરી નથી. N-95ને તો બિલકુલ ન લગાવશો કારણ કે એ ડોક્ટર્સ અને નર્સ માટે છે. જો તમને શરદી ખાંસી થઈ રહી છે તો જરૂર માસ્ક લગાવો જેથી અન્ય લોકો સુધી સંક્રમણ પહોંચી ન શકે. તમે એવું માનીને જ આગળ ચાલો કે તમે સંક્રમિત છો. આવું કરવાથી તમે જાતે પુરે પુરી સાવચેતી રાખી શકશો. લોકો કોઈ પણ કારણ વગર પણ માસ્ક લગાવી રહ્યા છે. આનાથી માસ્કનું કાળું બજાર ઊભું થયું છે.

coronavirus 4833754 1920 1

- Advertisement -
- Advertisement -

5. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે?

દરેક વ્યક્તિ સાથે અંતર રાખવું જરૂરી છે. ઘરે હોવ તો પરિવારના લોકો સાથે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખો. કોઈ પણ દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.

6. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?

બિલકુલ રહે છે. હવાથી ધીમે ધીમે સપાટી પર આવે છે. હવામાં ઘણી મિનિટો સુધી રહે છે. એટલા માટે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

7. શું ડોર નોબથી પણ આ વાઈરસ આવી શકે છે?

તેનું સંક્રમણ ડ્રોપલેટથી થાય છે. જો ડ્રોપલેટ હવામાં અથવા કોઈ સપાટી પર છે અને જો તમે એ સપાટી પર હાથ લગાવશો તો સંક્રમણનો શિકાર થઈ શકો છો. જો કે, જ્યારે તમે હાથને મોઢા-નાક પર લગાવશો, ત્યારે આ સંક્રમણ તમારી બોડીમાં અંદર પહોંચશે. એટલા માટે વારં વાર હાથ ધોવા અને હાથને ચહેરા પર ન લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે

- Advertisement -

8. કોરોના વાઈરસની તપાસ કોણે કરાવવી જોઈએ? શું જેને સામાન્ય હળવો તાવ કે કફ છે, તેમણે પણ તપાસ કરાવવી જોઈએ?

હળવો શરદી-ખાંસી, કફની સાથે જો તાવ છે, ત્યારે પણ કોરોનાની તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાના બે મુખ્ય ક્રાઈટેરિયા છે. પહેલો, જો તમે ગત દિવસોમાં વિદેશની મુલાકાત કરી હોય. બીજુ તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, જેમાં કોરોના વાઈરસની પુષ્ટી થઈ ચુકી હોય. બદલાતા હવામાનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે.

9.કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે?

સામાન્ય રીતે 5 થી 7 દિવસોમાં તેના સંકેત જોવા મળે છે. ઘણી વખત 14 દિવસો સુધીનો પણ સમય લાગી જાય છે. આ જ કારણે 14 દિવસ ઓબ્જર્વેશન પીરિયડ રાખવામાં આવે છે.

10. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે?

કોઈ પણ સંક્રમિત વ્યક્તિના 1 મીટરની આસપાસ સુધી તમે ગયા છો તો પણ તમને સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. વાઈરસના ડ્રોપલેટ્સ 1 મીટરના વિસ્તારમાં ફેલાય છે, એટલા માટે કહેવામાં આવે છે કે દરેકે ઓછામાં ઓછા 1 મીટરનું અતંર જાળવવું જોઈએ.

VirusSymptoms web 1024

11. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?

જો તમે તેના સંપર્કમાં આવ્યા છો તો તાત્કાલિક ક્વોરેન્ટાઈન થઈ જવું જોઈએ.

12. શું હાલ હોસ્પિટલની મુલાકાત લેવી સેફ છે?

હોસ્પિટલમાં વિઝિટ કરી શકો છો, પરંતુ રૂટીન ચેકઅપ અથવા કારણ વગર ન જશો. બહું જરૂરી હોય તો જ જાવ. કારણ કે હોસ્પિટલમાં ભીડ હોય છે અને અહીંયા તમે કોવિડ-19 અથવા એવા જ કોઈ અન્ય વાઈરસના સંક્રમણનો શિકાર બની શકો છો.

13. શું ગરમી વધવા પર કોરોના વાઈરસ ખતમ થશે?

ગરમીથી વાઈરસ ખતમ થઈ જશે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે સિંગાપુર, થાઈલેન્ડ જેવા દેશોમાં જ્યાં હાઈ હ્યૂમિનિટી હોય છે, ત્યાં પણ આ વાઈરસના ફેલાવાનો કેસ સામે આવ્યો છે. સાથે જ ગરમીના તાપમાનમાં લોકો શોપિંગ મોલ, મૂવી થિયેટર જેવી જગ્યાઓ પર ભેગા થાય છે. અહીંયા એર કન્ડીશનર ઓન હોય છે. જેનાથી માહોલ ઠંડો બની રહે છે. એવા માહોલમાં ભીડ વચ્ચે રહેવાથી વાઈરસનો શિકાર થઈ શકાય છે. એટલા માટે ભીડ વાળી જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.

14. શું કોરોના વાઈરસ કોઈ વ્યક્તિને ફરી થઈ શકે છે?

બિલકુલ થઈ શકે છે, પરંતુ ફરી થવા અંગે તેના સંક્રમણની અસર પહેલા જેટલું જોખમકારક નથી.

15 શું આનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર વિકલ્પ ડિસ્ટેસિંગ જ છે?

ભારતમાં આ જ એકમાત્ર સારો વિકલ્પ છે. ઘણા દેશોમાં આને ફોલો પણ કરી ચુકાયું છે. જ્યાં સકારાત્મક પરિણામ સામે આવ્યા હતા.

template 2020 03 12T155613.371

16. શું યોગા, પ્રાણાયામ કરવાથી આ વાઈરસથી બચી શકાય છે?

ના, આનું કોઈ પ્રમાણ નથી. ઈમ્યુનિટી સારી ન હોવા પર કોવિડ-19નું જોખમ વધી જાય છે. એવામાં ઈમ્યુનિટી વધારવા માટે વ્યાયામ, યોગા કરી શકાય છે.

17. બ્લડ ડોનરને કોરોના વાઈરસની તપાસ કરાવવી જરૂરી છે?

જો કોઈ સ્વસ્થ છે તો કોઈ પણ પ્રકારની તપાસ વગર બ્લડ ડોનેટ કરી શકે છે.

18. શું આ આલ્કોહોલ, ગરમ પાણીના સેવનથી મરે છે?

આવું ન હોય. આલ્કોહોલ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે નબળી પડે છે. જેનાથી સંક્રમણનો શિકાર થવાની આશંકા વધી જાય છે. સિગારેટ પીતા હોવ તો રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે.

19. શું હેન્જ સેનેટાઈઝર સાબુ કરતા વધારે સારો વિકલ્પ છે?

જો તમે રોજ સાબુ અને પાણીથી હાથ ધોવો છો તો આવું કરતા જ રહો, કારણ કે જો તમારી દિનચર્યામાં સામેલ છે અને તમે સારી રીતે હાથ ધોતા રહેજો. જો ક્યારેક બહાર જઈ રહ્યા હોવ, જ્યાં પાણીની વ્યવસ્થા નથી તો ત્યાં હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જાવ. હેન્ડ સેનેટાઈઝર પણ આખા હાથમાં લગાવી દો.

20. બહારનું જમવાનું અને નોનવેજથી સંક્રમણ થઈ શકે છે?

તેનું કોઈ પ્રમાણ નથી. આ જાનવરોથી માંડી મનુષ્યમાં આવ્યો છે પરંતુ નોનવેજ ખાવાથી થાય છે એવું કોઈ પ્રમાણ નથી.

11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ,, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત
લોકડાઉન વચ્ચે સરકાર હવે ઈનકમ ટેક્સમાં આપી શકે છે મોટી રાહત
પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન
જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcorona virus updatecoronaromerscoronavirus symptoms
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

farmingindia 505 122818030205
ગુજરાત

ખેડૂતો માટે ખુશીના સમાચાર,પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ નિર્ણય

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 77
ગુજરાત

જાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે બંધ

By Palak Thakkar
4 Min Read
BeFunky collage 2020 08 12T193104.482
કોરોનાજાણવા જેવુંભારત

કોરોના મહામારી વચ્ચે આ રીતે થશે 15મી ઓગસ્ટની ઉજવણી,PMને સલામી આપનારા જવાનો ક્વોરેન્ટાઈન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?