Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ઈતિહાસના પાનામાં લટાર > ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ
ઈતિહાસના પાનામાં લટારધર્મદર્શન

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

Palak Thakkar
Last updated: May 1, 2020 4:32 pm
By Palak Thakkar 4 Min Read
Share
before after
SHARE

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના સુધી અહીં દર્શન અને યાત્રા શરૂ રહે છે. ત્યાર બાદ કારતક મહિનો એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી કપાટ બંધ થઇ જાય છે. કપાટ બંધ થવા પર ભગવાન કેદારનાથને પાલખી દ્વારા ઊખીમઠ લઇ જવામાં આવે છે અને ત્યાં ઓંકારેશ્વર મંદિરમાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે.

main qimg 96bf646a2b2ff1451f4f095cd83eb583

કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે બનાવ્યું હતું. આ તીર્થ 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે.

- Advertisement -

flash floods fb 061818061545

 

- Advertisement -

સ્કંદ પુરાણ પ્રમાણે ગઢવાલને કેદારખંડ કહેવામાં આવે છે. કેદારનાથનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોય તેવી વાત સામે આવે છે. માન્યતા છે કે, 8મી-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન મળે છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળમાં પણ ઉપસ્થિત હોવાનું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. થોડી માન્યતાઓ પ્રમાણે, અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.

kedarnath 1200

- Advertisement -

શિવ મહાપુરાણની કથા પ્રમાણે મહાભારત યુદ્ધ પૂર્ણ થવા પર પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે વેદવ્યાસજીથી પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઇને ભગવાન કેદારનાથનું દર્શન અને પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ પાંડવોએ કેદાખંડની યાત્રા શરૂ કરી.

717odXzg 2L. SL1200

- Advertisement -
- Advertisement -

કેદારખંડમાં પાંડવોને જોઇ ભગવાન શિવ ગુપ્તકાશીમાં જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ થોડે દૂર જઇને શિવજીએ એક બળદનું સ્વરૂપ ધારણ કર્યું. પાંડવોને જાણ થઇ કે આ બળદ સ્વરૂપમાં શિવજી જ છે. ભગવાન શિવે પાંડવોના મનની વાત જાણી લીધી. ત્યાર બાદ તેઓ ધરતીમાં ફસાવવા લાગ્યાં. ભીમે તેમને રોકવા માટે બળદ સ્વરૂપી શવજીની પૂંછડી પડી લીધી અને અન્ય પાંડવ પણ કરૂણા સાથે રડવા લાગ્યાં અને ભગવાન ભોળાનાથની સ્તૃતિ કરવા લાગ્યાં. જેથી ભગવાન પ્રસન્ન થઇને તેમની પ્રાર્થનાથી બળદની પીઠ ઉપર ત્યાં જ સ્થિત થઇ ગયાં. પાંડવોએ તેમની પૂજા કરીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી.

Kedarnath Temple.

ઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. 6 મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે. મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશે.

- Advertisement -

pm narendra modi in kedarnath 1 0 1

અક્ષય તૃતીયા બાદ ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા શરૂ થઇ જાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામે પૂર્ણ થાય છે. મેનેજર રતૂડીએ જણાવ્યું કે, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાએ ખુલી ગયા છે. ત્યાર બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં. કોરોના મહામારીના કારણે આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ ખુલશે.

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:#CoronaAlertchardhamcoronakedarnathkedarnathhistory
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?