અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી?
રૂપાલી ગાંગુલીના સુપર હિટ શો ‘અનુપમા’એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. દરરોજ આ શોમાં કોઈને કોઈ અવનવા વળાંક આવતા રહે છે. આ સિરિયલના મેકર્સ પણ દર્શકોને ખુશ કરવા અને શો સાથે જોડાયેલ રાખવા માટે સતત કોઈને કોઈ પ્રયત્ન કરતાં રહે છે. સિરિયલમાં ચાલતા અવનવા વળાંક અને ટ્વીસ્ટથી દર્શકો ખૂબ ખુશ છે અને હવે આગળ સિરિયલમાં શું આવશે એ જાણવા માટે સતત પ્રયત્ન કરતાં હોય છે.
હમણાં સિરિયલ ‘અનુપમા’માં જોવા મળ્યું હતું કે અનુપમાએ કોલેજમાં એડમિશન લીધું છે તે પોતાનું આગળનું ભણવાનું પૂરું કરવા માટે ખૂબ પ્રસન્ન અને એક્સાઈટેડ છે. હમણાં આ બધા ટ્વીસ્ટ અને ટર્ન વચ્ચે અનુપમાને લઈને એક સમાચાર આવી રહ્યા છે કે આ સિરિયલમાં ટીવીની એક ફેમસ અભિનેત્રી સુપ્રિયા પિલગાવકરની એન્ટ્રી થઈ શકે છે. જો હવે આ બાબત વિષે અભિનેત્રીએ જાતે પ્રતિક્રિયા આપી છે.
સુપરહિટ સિરિયલ અનુપમાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં સુપ્રિયા પિલગાવકરની એન્ટ્રી એ અનુપમાના ટીચર તરીકે થવાની છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રી સુપ્રિયાનું કહેવું છે કે તેમણે આવા કોઈ પાત્ર માટે ઓડિશન પણ આપ્યું નથી અને તેમને આ બાબતમાં કોઈ કોલ પણ આવ્યો નથી. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, ‘આ મારી માટે પણ નવાઈ લાગે એવું છે. આ સાચું નથી. મે ઈન્ટરનેટ પર વાંચ્યું હતું અને હું પોતે હેરાન રહી ગઈ હતી કે લોકો આવી વાર્તાઓ કેવીરીતે બનાવી શકે છે.’
રૂપાલી ગાંગુલીના સુપરહિટ શો ‘અનુપમા’ વિષે વાત કરતાં સુપ્રિયા આગળ જણાવે છે કે, ‘મને પ્રોડક્શન હાઉસથી કોઈ ફોન પણ નથી આવ્યો અને મે કોઈ ઓડિશન પણ નથી આપ્યું. આ બહુ રસપ્રદ શો છે અને જ્યારે હું લંડન ગઈ હટી તો લોકો આ વિષે મને પૂછી રહ્યા હતા. હું પોતે પણ આ શો પણ પસંદ કરું છું, પણ મને હજી સુધી અનુપમા માટે બોલાવી નથી. મને સસુરાલ ગેદાં ફૂલ-2′ પછી ઘણી ઓફર આવી હતી પણ હું થોડો બ્રેક લેવા માંગતી હતી. હવે હું જલ્દી જ ટીવી પર પરત આવીશ.’