કોરોનાવાઈરસની લડાઈમાં બોલિવૂડ સ્ટાર્સ સરકારને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. હવે, શાહરુખ ખાનની કંપનીએ સરકારને મદદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની જંગ લડા માટે દેશના નાગરિકો પાસે રાહતફંડમાં ડોનેટ કરવાની અપીલ કરી છે.
- 1. PM CARES ફંડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કન્ટ્રીબ્યૂટ કર્યું છે. આ આઈપીએલ ફ્રેન્ચાઈઝીના ઓનર ગૌરી ખાન, શાહરુખ ખાન, જૂહી ચાવલા તથા જય મહેતા છે અને તમામે સાથે મળીને ફાળો આપ્યો છે.
- 2. આ જ રીતે મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટે દાન આપ્યું છે. આ કંપનીને શાહરુખ ખાન તથા ગૌરી ખાન ચલાવે છે.
- 3. હેલ્થ કેર વર્ક્સના સપોર્ટ તથા સુરક્ષા માટે કેકેઆર તથા મીર ફાઉન્ડેશને સાથે મળીને પચાસ હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કિટ્સ ડોનેટ કર્યાં છે.
- 4. મીર ફાઉન્ડેશને સાર્થઃ ધ અર્થ ફાઉન્ડેશન સાથે મળીને રોજ 5500 પરિવારને એક મહિના સુધી ભોજન આપવાની જવાબદારી ઉઠાવી છે. આ હેઠળ એક કિચન સેટ કરવામાં આવ્યું છે, જે રોજ 2000 તાજું ભોજન બનાવેલી ડિશ હોસ્પિટલ તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.
- 5. રોટી ફાઉન્ડેશન (મહારાષ્ટ્રના પૂર્વ ડીઆઈજી બી. શ્રીવર્ધને બનાવ્યું છે) સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે અને તેની સાથે મળીને 3 લાખ મિલ કિટ્સ દસ હજાર લોકોને ઓછામાં ઓછું એક મહિના સુધી આપવામાં આવશે.
- 6. મીર ફાઉન્ડેશન દિલ્હીમાં 2500 ડેઈલી વેઈજિઝ વર્કર્સને બેઝિક જરૂરી સામાન તથા ગ્રોસરી એક મહિના સુધી આપશે.
- 7. યુપી, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળની 100 એસિડ અટેક સર્વાઈવરની મહિના સુધીની બેઝિક જરૂરિયાત પૂરી કરવામાં આવશે.

આ અપીલને ધ્યાને લઇને બોલિવૂડ, રમત ગમત સહિત અન્ય ક્ષેત્રોના નામી અનામી લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે. અક્ષય કુમારે 25 કરોડનું દાન આપ્યું છે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા અદાકાર શાહરૂખ ખાને પણ કોરોના સામેની જંગમાં પોતાનું અનુદાન આપવાની જાહેરાત એક ટ્વીટ કરીને કરી હતી.

શાહરુખ ખાને કહ્યું હતું, આ લડાઈમાં સરકારનો સાથ આપવા માટે મારા તરફથી કોન્ટ્રીબ્યૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે અલગ-અલગ પ્રકારના ઈનીશિએટિવ્સની સાથે આવ્યા છીએ. આજે આપણે એવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, જેમાં માનવતાની ઉદારતા જ તેની સાચી પ્રતિક્રિયા હોઈ શકે છે.

આ સમયે આપણે બધાએ એકબીજાને સાથ આપવાનો છે, જેથી આપણે આગામી દિવસોનો સામનો એકબીજા સાથે વધુ મજબૂત તથા દયાળું થઈને કરી શકીએ. આ મુશ્કેલ સમય આસાનીથી પસાર થવાનો નથી. આમાંથી બહાર આવતા સમય લાગશે. આપણે બધાએ આ સમયમાંથી પસાર થવાનું છે અને સાથે જ આ પરિસ્થિતિમાં આપણે એ વાત સમજવાની છે કે પોતાની મદદ કરવામાં અને એકબીજાની મદદ કરવા વચ્ચે કોઈ અંતર નથી. આ મહામારીના પ્રસારમાં આનાથી વધુ કોઈ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે આપણે બધા એકબીજા સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર જોડાયેલા છીએ. આથી જ આપણે પોત-પોતાની ક્ષમતા પ્રમાણે એકબીજાની મદદ કરી શકીએ છીએ.


