નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસ ફેલાવાની શરુઆત ચીનથી થઈ હતી. તો ચીનના વુહાન શહેરમાં આનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો. આ સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપુર અને હવે તો ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ. મટન અને ઇંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઇએ. જંગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી શકાય છે. કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ ખુબ ફાયદાકારક છે કારણકે લીંબુના અનેક ફાયદા છે.. લીંબુ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
વિટામીન સીથી ભરપૂર લીંબુના છે અનેક ફાયદા
લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે.
લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
લીંબુમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.
લીંબુના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ચેપી રોગો મટે છે.
લીંબુનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા જળવાય રહે છે.
લીંબુનો રસ મસૂડોને સ્વસ્થ બનાવે છે.
લીંબુના રસના સેવનથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે.
લીંબુનો રસ પીવાથી આપણા શરિરમાં ઉર્જા જળવાઈ રહે છે.
લીંબુનું શરબત પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે.
લીબું ખાવાથી ઈન્યુનિટી વધે છે અને ઈજા પણ જલ્દી જ ઠીક થઈ જાય છે.
લીંબુનો રસ પીવાથી આપણી આંખો સ્વ્સથ રહે છે.
લીંબુનો રસ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તે શરીરની ગંદકી દૂર કરે છે..
લીંબુના સેવનથી શુગરને નિયંત્રિત કરી શકાય છે.
લીંબુ પાણીના સેવનથી કિડનીની પથરીમાં પણ લાભ મળે છે.
લીંબુ પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. વિટામીન સીથી ભરપૂર લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક છે. તો રોજ પીઓ 1 ગ્લાસ લીંબુ પાણી. રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારી ઈમ્યુનિટી વધે છે. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે અને સાથે જ તમે હેલ્ધી રહી શકો છો.
લીંબુનું સેવન કરતી સમયે રાખો આ સાવધાની
તમે લીંબુ પાણી પી રહ્યા છો તો તરત જ બાદ દાંતને બ્રશ ન કરવું. કેટલાક લોકોને લીંબુની એલર્જી હોય છે. સાથે જ તેનાથી ગળું પણ ખરાબ થઈ શકે છે. જેમને અલ્સરની બીમારી છે તેઓએ લીંબુનું સેવન કરવું નહીં.
લીંબુના સેવન કરવાના નુકસાન
લીંબુમાં સાઈટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી દાંતને નુકસાન થઈ શકે છે. લીંબુમાંનું સાઈટ્રિક એસિડ સંવેદનશીલ ત્વચા માટે એલર્જીનું કારણ બની શકે છે. લીંબુના વધારે ઉપયોગથી ઝાડા, જીવ ગભરાવવો, પેટમાં આંટા આવવાની સમસ્યા થઈ શકે છે.